અમિત શાહ અને હાર્દિક પટેલના ફોટાથી ગરમાઈ રાજનીતિ


  • Published By :
  • Published Date : 2022-10-27 15:05:37

ગુજરાતમાં ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં વ્યસ્ત બની છે. અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. નવા વર્ષના દિવસે હાર્દિક પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર હાર્દિક પટેલ અને અમિત શાહની મુલાકાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.

અમિત શાહ અને હાર્દિક પટેલનો ફોટો વાયરલ

ભાજપે વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ભાજપ દ્વારા આ અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વખતે કોને ટિકિટ મળશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે નવા વર્ષના દિવસે હાર્દિક પટેલે અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. વાયરલ ફોટામાં અમિત શાહ હાર્દિક પટેલની ભેટ સ્વીકારતા નજરે પડી રહ્યા છે. ભાજપમાં જોડાયા બાદ અમિત શાહ અને હાર્દિક પટેલની પ્રથમ મુલાકાત છે.


ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે કરી નવા વર્ષની ઉજવણી

ચૂંટણી પૂર્વે વિરમગામમાં જઈ હાર્દિક પટેલ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડવા તેઓ આતુર હોય તેવું લાગે છે. નવા વર્ષના પ્રથમ દિવસે અમિત શાહના નિવાસ સ્થાને અનેક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. ત્યારે આ સમયે હાર્દિક પટેલે તેમની શુભેચ્છા મુલાકાત કરી હોય તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે.               




ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.