અમિત શાહે કેજરીવાલને સણસણતો જવાબ આપ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 19:23:29



ગુજરાતની ભૂપેન્દ્ર સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે સરકારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયેલા હતા. અમિત શાહે વર્ચ્યુઅલ સંબોધનમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. કેજરીવાલે અમિત શાહને જે જવાબ આપ્યો તે મામલે પણ અમિત શાહે કેજરીવાલને જવાબ આપ્યો છે. 


ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી રહેશેઃ અમિત શાહ 

ગુજરાત સરકારના એક વર્ષના કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન આપતા જણાવ્યું હતું કે બે તૃતીયાંશની બહુમતિ સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરી વિશે વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલે બોલ્યા વગર કામ કરી બતાવ્યું છે. લોકોએ તેમની સામે અનેક સવાલો કર્યા હતા પરંતુ ભૂપેન્દ્ર ભાઈએ તમામનો જવાબ પોતાની કામગીરીથી આપ્યો છે તેવું અમિત શાહે નિવેદન આપ્યું હતું. 

 

કેજરીવાલના કટાક્ષ પર અમિત શાહે આપ્યા જવાબ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હતા. આજે અમદાવાદમાં ટાઉનહોલમાં પત્રકારો સાથે ચર્ચા દરમિયાન અરવિંદ કેજરીવાલે અમિત શાહના નિવેદન મામલે કટાક્ષ કર્યો હતો. જેનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે સપનાના વેપાર કરનારા લોકોને ગુજરાતમાં ક્યારેય સફળતા નહીં મળે. 




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.