અમિત શાહે કેજરીવાલને સણસણતો જવાબ આપ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 19:23:29



ગુજરાતની ભૂપેન્દ્ર સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે સરકારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયેલા હતા. અમિત શાહે વર્ચ્યુઅલ સંબોધનમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. કેજરીવાલે અમિત શાહને જે જવાબ આપ્યો તે મામલે પણ અમિત શાહે કેજરીવાલને જવાબ આપ્યો છે. 


ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી રહેશેઃ અમિત શાહ 

ગુજરાત સરકારના એક વર્ષના કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન આપતા જણાવ્યું હતું કે બે તૃતીયાંશની બહુમતિ સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરી વિશે વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલે બોલ્યા વગર કામ કરી બતાવ્યું છે. લોકોએ તેમની સામે અનેક સવાલો કર્યા હતા પરંતુ ભૂપેન્દ્ર ભાઈએ તમામનો જવાબ પોતાની કામગીરીથી આપ્યો છે તેવું અમિત શાહે નિવેદન આપ્યું હતું. 

 

કેજરીવાલના કટાક્ષ પર અમિત શાહે આપ્યા જવાબ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હતા. આજે અમદાવાદમાં ટાઉનહોલમાં પત્રકારો સાથે ચર્ચા દરમિયાન અરવિંદ કેજરીવાલે અમિત શાહના નિવેદન મામલે કટાક્ષ કર્યો હતો. જેનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે સપનાના વેપાર કરનારા લોકોને ગુજરાતમાં ક્યારેય સફળતા નહીં મળે. 




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.