અમિત માલવિયાના દાવાનો સચિન પાયલોટે કર્યો પર્દાફાશ, પુરાવા સાથે કર્યો વળતો પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-08-17 14:31:03

કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટે તેમના પિતા રાજેશ પાયલોટ પર બિજેપી આઈ ટી સેલના ચીફ અમિત માલવીયા દ્વારા કરવામાં આવેલી ટ્વીટનો જવાબ આપ્યો છે. અમિત માલવિયાએ એક ન્યૂઝ ચેનલનો વિડિયો શેર કરીને દાવો કર્યો હતો કે રાજેશ પાયલોટે તેમના પાયલોટ તરીકેના કાર્યકાળમાં વર્ષ 1966માં રાજધાની આઈઝોલ પર બોમ્બ વર્ષા કરી હતી.


 સચિન પાયલોટનો જોરદાર જવાબ


અમિત માલવિયાના દાવાને જુઠ્ઠો બતાવતા સચિન પાયલોટે ટ્વિટ કર્યું હતું કે "તમારી પાસે ખોટી તારીખ અને તથ્ય છે, હા ભારતીય હવાઈ દળના પાયલોટ કરીકે મારા દિવંગત પિતાએ બોંબ મારો કર્યો હતો, પરંતું તે 1971ન ભારત-પાક યુધ્ધ દરમિયાન તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં બોંબ મારો કર્યો હતો, નહીં કે તમે કહો છો તેમ, 5 માર્ચ 1966ના રોજ મેઘાલય પર તેમને 29 ઓક્ટોબર 1966ના રોજ ભારતીય એરફોર્સમાં નિમણૂંક કરાયા હતા. જય હિંદ અને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ"

 

અમિત માલવિયાએ કર્યું હતું ટ્વીટ


અત્રે ઉલ્લેખનિય છે કે અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે "રાજેશ પાયલોટ અને સુરેશ કલમાડી એરફોર્સના તે વિમાનો ઉડાવી રહ્યા હતા જેણે 5 માર્ચ 1966ના રોજ મિઝોરમની રાજધાની આઈઝોલ પર બોંબ વર્ષા કરી હતી. બાદમાં તે બંને કોંગ્રેસની ટિકિટ પર સરકારમાં મંત્રી બન્યા હતા, સ્પષ્ટ છે કે નોર્થ ઈસ્ટમાં પોતાના જ લોકો પર હવાઈ હુમલો કરનારાને ઈન્દિરા ગાંધીએ ઈનામ તરીકે રાજનિતીમાં સ્થાન આપ્યું, સન્માન કર્યું" 

 

ટ્વીટ કરી ફસાયા અમિત માલવિયા


ભાજપના આઈ ટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ તો કર્યું પણ હવે બરાબરના ફસાઈ ગયા છે. અજીત અંજુમે લખ્યું " મોદીજીની આઈ ટી સેલના અમિત માલવિયાનું એક મોટું જુઠ પકડાઈ ગયું છે, આ લોકો જૂઠ બોલવા અને જૂઠ ફેલાવનારી ફેક્ટરીના કામદારો છે. જો કે તેમને શરમ પણ નથી આવતી" કોંગ્રેસના નેતા ડો. અજય કુમારે ટ્વીટ કર્યું આ આર્થ્રોપોડ સામે 100 કરોડની માનહાનિ કેસ સાથે જ એફઆઈર પણ નોંધાવી જોઈએ."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.