માવઠામાં થયેલા નુકસાન અંગે સરકાર પર Amit Chavdaએ કર્યા પ્રહાર! સાંભળો શું કહ્યું સર્વેને લઈ?


  • Published By :
  • Published Date : 2023-11-28 14:39:32

ગુજરાતમાં રવિવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. શિયાળામાં ચોમાસા જેવી સિઝન જામી છે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કમોસમી પડેલા વરસાદને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. ખેતીમાં મોટા પાયે નુકસાન થયું છે. સરકાર જલ્દી સર્વે કરી સહાય ચૂકવે તેવી આશા ખેડૂતો સરકાર પાસેથી રાખીને બેઠા છે. માવઠા બાદ થયેલા નુકસાન અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ખરીફ વાવેતરને કેટલાક અંશે નુકસાન થયું છે. કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. આ નિવદેન બાદ ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ મામલે રાજનીતિ ગરમાઈ ગઈ છે.


અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર કર્યા પ્રહાર

માવઠાને લઈ કોંગ્રેસે સરકારને ઘેરી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માગ અમિત ચાવડાએ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં પ્રહાર કરતા અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખેડૂતો બરબાદ થયા છે, દેવાદાર થયા છે. સરકારે વચનો પૂરા નથી કર્યા, ખેડૂતો દેવાદાર થયા છે. આર્થિક બરબાદીની સાથે સાથે ગુજરાતમાં જાનહાની પણ થઈ છે.  

આફત સમયે સરકાર જાહેરાતો કરે છે પરંતુ... સહાય આપતી નથી! 

વધુમાં તેમણે કહ્યું કે દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી પરંતુ આપી નથી. બિપરજૉય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. કુદરતી આફત આવ્યા બાદ ખેડૂતને આપઘાત કર્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી. ખેડૂતોને નુકશાનીના વળતર માટે અલગથી વિભાગ હોવો જોઈએ. સરકાર બજેટમાં જોગવાઈ કરી કૃષિ વિભાગ હસ્તક પાક વીમા યોજના અમલમાં મૂકે, મુખ્યમંત્રી જાપાનમાં બુલેટ ટ્રેનમાં ફરે છે. 10 દિવસની અંદર સર્વે કરી સહાય ચૂકવવામાં આવે. મહત્વનું છે કે સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.