રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે યુક્રેનએ ડ્રોનથી રશિયા પર કર્યો હુમલો


  • Published By :
  • Published Date : 2023-01-02 12:44:39

રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને વર્ષ થવા આવશે. પરંતુ આ બંને દેશો વચ્ચે ચાલતું યુદ્ધ પૂર્ણ નથી થયું. આ બધા વચ્ચે રશિયા પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાથી નુકસાન પહોંચ્યું છે. સમાચાર એજન્સી રાયટરના અનુસાર યુક્રેન દ્વારા થયેલા હુમલાને કારણે વીજળી કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ ઘટના રશિયાના બ્રયાંસ્કમાં બની છે. 


હુમલાને કારણે નથી થઈ કોઈ જાનહાની  

સમગ્ર વિશ્વની નજર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ પર છે. બંને દેશો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેને રશિયા પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં બ્રયાંસ્કમાં આવેલા વીજ કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ હુમલાને કારણે આ એરિયાની વીજળી ઉડી ગઈ હતી. આ અંગેની માહિતી આપતા કહેવામાં આવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ક્ષેત્રીય ગવર્નરે માહિતી આપતા કહ્યું કે આપાતકાલીન સેવાઓ ઉપલબ્ધ છે. આ હુમલાને કારણે વીજળી કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાને કારણે જાનમાલને કોઈ નુકસાન નથી પહોંચ્યું.     




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.