ફ્લાઈંગ કિસની ચર્ચા વચ્ચે મહિલા IASની ટ્વિટ મણિપુરના વીડિયોની યાદ અપાવશે! IASએ પૂછ્યો સવાલ જેનો જવાબ કદાચ આપણામાંથી કોઈની પાસે નહીં હોય....


  • Published By :
  • Published Date : 2023-08-10 12:53:46

સંસદમાં મણિપુરની હિંસાને લઈ જબરદસ્ત હોબાળો  થાય છે, કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. જેને લઈ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો અને હાલ અવિશ્વાસ પ્રસ્તાવ પર છેલ્લા બે દિવસથી ચર્ચા ચાલી રહી છે. એ ચર્ચા ખુબ રસપ્રદ છે. ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી અને કેન્દ્ર સરકાર પર અનેક પ્રકારના ગંભીર પ્રહાર કર્યા હતા. તેના જવાબમાં સ્મૃતિ ઈરાની પણ એટલા જ આક્રામક દેખાયા હતા. પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. એક તરફ મણિપુર જેવી ગંભીર ઘટનાઓ પર ચર્ચા કરાઈ હતી તો બીજી તરફ એક એવો મુદ્દો ઉઠ્યો જેની ચર્ચા દરેક જગ્યાએ ચર્ચાઓ શરૂ થઈ ગઈ.   

મહિલા સાંસદોએ લેખિતમાં કરી ફરિયાદ  

ગઈકાલથી ફ્લાઈંગ કિસને લઈ ચર્ચાઓ થઈ રહી છે. સ્મૃતિ ઈરાનીએ સંસદમાં પણ એ મુદ્દો ઉઠાવ્યો હતો અને રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવાની વાત કરી કહી હતી. તે બાદ મહિલા સાંસદો પ્રત્યે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી વિરૂદ્ધ પગલા લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તે માટે એક લેખિત અરજી પણ કરી હતી. 


IAS અધિકારીની ટ્વિટ જે તમને આ ઘટનાની યાદ અપાવશે. 

મણિપુરથી થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી તેમની પરેડ કાઢવામાં આવી હતી. સામુહિક બળાત્કાર પણ કરવામાં આવ્યું હતું તેવા પણ સમાચારો સામે આવ્યા હતા. ત્યારે આ વાતને ધીમે ધીમે લોકો ભૂલી હોય તેવું લાગી રહ્યું છે. એ મહિલાઓના માનસ પર કેવી અસર પડી હશે તેનો વિચાર કરીએ તો પણ આપણા રૂંવાડા ઉભા થઈ જાય. ત્યારે  IAS અધિકારી શૈલબલા માર્ટિને એક ટ્વિટ કર્યું છે. એ ટ્વિટમાં કેપ્શન લખ્યું છે જરા વિચાર કરો जरा सोचिये मणिपुर की महिलाओं को केसा महसूस हुआ होगा? આ કેપ્શન આપી તેમણે એ અરજીનો ફોટો શેર કર્યો છે જેમાં મહિલા સાંસદોના હસ્તાક્ષર હતા. 


સ્ત્રીનું માન તો દરેક જગ્યાએ જળવાવું જોઈએ! 

આપણા ધર્મમાં કહેવાય છે 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ' એટલે કે જ્યાં મહિલાઓનું પૂજન થતું હોય કે તેમનું સન્માન જળવાતું હોય તે સ્થાન પર દેવતાઓ વાસ કરે છે. સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ફ્લાઈંગ કિસ વાળા મુદ્દા પર જો મહિલા સાંસદોને વાંધો હોય તો તેમને મણિપુરવાળા કિસ્સામાં પણ વાંધો ઉઠાવવો જોઈએ... મહિલા સાંસદ હોય કે પછી સામાન્ય હોય મહિલા મહિલા છે, તેનું માન સન્માન જળવાવું જ જોઈએ.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.