ફ્લાઈંગ કિસની ચર્ચા વચ્ચે મહિલા IASની ટ્વિટ મણિપુરના વીડિયોની યાદ અપાવશે! IASએ પૂછ્યો સવાલ જેનો જવાબ કદાચ આપણામાંથી કોઈની પાસે નહીં હોય....


  • Published By :
  • Published Date : 2023-08-10 12:53:46

સંસદમાં મણિપુરની હિંસાને લઈ જબરદસ્ત હોબાળો  થાય છે, કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. જેને લઈ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો અને હાલ અવિશ્વાસ પ્રસ્તાવ પર છેલ્લા બે દિવસથી ચર્ચા ચાલી રહી છે. એ ચર્ચા ખુબ રસપ્રદ છે. ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી અને કેન્દ્ર સરકાર પર અનેક પ્રકારના ગંભીર પ્રહાર કર્યા હતા. તેના જવાબમાં સ્મૃતિ ઈરાની પણ એટલા જ આક્રામક દેખાયા હતા. પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. એક તરફ મણિપુર જેવી ગંભીર ઘટનાઓ પર ચર્ચા કરાઈ હતી તો બીજી તરફ એક એવો મુદ્દો ઉઠ્યો જેની ચર્ચા દરેક જગ્યાએ ચર્ચાઓ શરૂ થઈ ગઈ.   

મહિલા સાંસદોએ લેખિતમાં કરી ફરિયાદ  

ગઈકાલથી ફ્લાઈંગ કિસને લઈ ચર્ચાઓ થઈ રહી છે. સ્મૃતિ ઈરાનીએ સંસદમાં પણ એ મુદ્દો ઉઠાવ્યો હતો અને રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવાની વાત કરી કહી હતી. તે બાદ મહિલા સાંસદો પ્રત્યે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી વિરૂદ્ધ પગલા લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તે માટે એક લેખિત અરજી પણ કરી હતી. 


IAS અધિકારીની ટ્વિટ જે તમને આ ઘટનાની યાદ અપાવશે. 

મણિપુરથી થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી તેમની પરેડ કાઢવામાં આવી હતી. સામુહિક બળાત્કાર પણ કરવામાં આવ્યું હતું તેવા પણ સમાચારો સામે આવ્યા હતા. ત્યારે આ વાતને ધીમે ધીમે લોકો ભૂલી હોય તેવું લાગી રહ્યું છે. એ મહિલાઓના માનસ પર કેવી અસર પડી હશે તેનો વિચાર કરીએ તો પણ આપણા રૂંવાડા ઉભા થઈ જાય. ત્યારે  IAS અધિકારી શૈલબલા માર્ટિને એક ટ્વિટ કર્યું છે. એ ટ્વિટમાં કેપ્શન લખ્યું છે જરા વિચાર કરો जरा सोचिये मणिपुर की महिलाओं को केसा महसूस हुआ होगा? આ કેપ્શન આપી તેમણે એ અરજીનો ફોટો શેર કર્યો છે જેમાં મહિલા સાંસદોના હસ્તાક્ષર હતા. 


સ્ત્રીનું માન તો દરેક જગ્યાએ જળવાવું જોઈએ! 

આપણા ધર્મમાં કહેવાય છે 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ' એટલે કે જ્યાં મહિલાઓનું પૂજન થતું હોય કે તેમનું સન્માન જળવાતું હોય તે સ્થાન પર દેવતાઓ વાસ કરે છે. સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ફ્લાઈંગ કિસ વાળા મુદ્દા પર જો મહિલા સાંસદોને વાંધો હોય તો તેમને મણિપુરવાળા કિસ્સામાં પણ વાંધો ઉઠાવવો જોઈએ... મહિલા સાંસદ હોય કે પછી સામાન્ય હોય મહિલા મહિલા છે, તેનું માન સન્માન જળવાવું જ જોઈએ.     



ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.