Loksabha Electionની ચર્ચા વચ્ચે જાણો પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારો કોણ હોઈ શકે છે? આ 5 વિધાનસભા બેઠકો માટે યોજાવાની છે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-03-20 18:16:03

ગુજરાતના રાજકારણની ચર્ચાઓ થઈ રહી છે. ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ પરંતુ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું તેને કારણે 5 જગ્યાઓ પર પેટાચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે પેટાચૂંટણી પણ સાત મેએ થવાની છે. એક તરફ લોકસભા સીટના ઉમેદવારોને લઈ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ અહીંયા વાત પેટાચૂંટણીના ઉમેદવારની કરવી છે. સંભવિત ઉમેદવારોની ચર્ચા કરીએ.. 



આ પાંચ બેઠકો પર થવાની છે પેટા ચૂંટણી

જે જગ્યા પર પેટાચૂંટણી યોજાવાની છે તે બેઠકો છે - વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર. આમ તો 6 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી થવાની હતી પરંતુ વિસાવદરનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. એવી માહિતી સામે આવી કે કોર્ટ કેસ ચાલી રહ્યો છે જેને કારણે ત્યાં ચૂંટણી હમણાં નહીં યોજાય. શરૂઆત કરીએ પોરબંદર બેઠકથી. આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ચૂંટાઈને આવ્યા હતા. પોરબંદરના ધારાસભ્ય તે હતા પરંતુ તેમણે થોડા સમય પહેલા તેમણે રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા. પોરબંદર વિધાનસભા બેઠક માટે બીજેપી અર્જુન મોઢવાડિયાને ટિકીટ આપી શકે છે. 



કઈ પાર્ટી કોને ઉતારી શકે છે ચૂંટણી મેદાનમાં!

વાત કરીએ વિજાપુર બેઠકની તો ભાજપ સી.જે. ચાવડાને મેદાનમાં ઉતારી શકે છે જયારે કોંગ્રેસ પાર્ટી પોરબંદર અને વિજાપુર પરથી સરપ્રાઈઝ નામ ઉતારી શકે છે. ઉપરાંત માણાવદર બેઠક પરથી BJP અરવિંદ લાડાણીને ટિકીટ આપી શકે છે જ્યારે સામે કોંગ્રેસ પાલ આંબલીયા કે હરિભાઈ પટેલને મેદાનમાં ઉતારી શકે છે. હવે વાત કરીએ વાઘોડિયા બેઠકની તો આ બેઠક પરથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા ધર્મેન્દ્રસિંઘ વાઘેલાને bjp ટિકિટ આપી શકે છે. સામે કોંગ્રેસ કનુભાઈ ગોહિલ અને કિરણ રાઠોડને મેદાનમાં ઉતારી શકે છે . ખંભાત વિધાનસભા પરથી બીજેપી ચિરાગ પટેલને જ ઉતારી શકે છે.  સામે કોંગ્રેસ મહેન્દ્રસિંહ પરમાર કે નવીનસિન્હ સોલંકીને ઉતારી શકે છે . 



પેટા ચૂંટણી માટે થઈ શકે છે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન

આ તરફ એક ચર્ચા એ પણ છે કે કોંગ્રેસ અને AAPનું ગઠબંધન આ પેટાચૂંટણી માટે પણ થઈ શકે છે. મળતી માહિતી મુજબ 5 પૈકી બે બેઠકની આમ આદમી પાર્ટીએ  માગ કરી છે. વાઘોડીયા અને માણાવદર બેઠક ફાળવવા AAPએ  માગણી કરી છે. આગામી બે દિવસમાં ગઠબંધન મુદ્દે નિર્ણય લેવાઇ શકે છે. આ મામલે બંને પક્ષ વચ્ચે  બેઠક મળી હતી. લોકસભા માટે પણ હજુ વધુ બે બેઠકની AAPએ માંગણી કરી છે. ઉલ્લેખનિય છે કે 26 પૈકીમાંથી 2 બેઠક ગઠબંધન અંતર્ગત AAPને ફળવાઇ છે. બાકીની બેઠક  દાહોદ, સુરત, જૂનાગઢ લોકસભા બેઠક પર પરોક્ષ ગઠબંધનની ચર્ચા છે.


વિસાવદર સીટની માગ આપે કરી? 

હવે અહીં એક મહત્વની વાત કે વિસાવદર વિધાનસભા બેઠકની તો પેટાચૂંટણીની તારીખ ભારતીય ચૂંટણી કમિશને જાહેર કરી નથી. પણ આમ આદમી પાર્ટીને આ સીટ જોઈતી હતી. ત્યારે જોવું રહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે નહીં અને જો થાય છે તો કઈ બેઠકો આમ આદમી પાર્ટીને આપવામાં આવે છે.?



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.