Gyan Sahayakના વિરોધ વચ્ચે TET-TATના આટલા ઉમેદવારોએ ભર્યા કરાર આધારિત ભરતીના ફોર્મ, શિક્ષણ વિભાગે કર્યો દાવો! જાણો આંકડો


  • Published By :
  • Published Date : 2023-09-12 10:16:33

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે એક તરફ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા. અલગ અલગ માધ્યમો દ્વારા ઉમેદવારો વિરોધ દર્શાવી રહ્યા છે. આ બધા વચ્ચે કરાર આધારિત ભરતી માટે હજારોની સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આંકડો સામે આવ્યો છે. ધોરણ 9 અને 10 માટે ભરાયેલા ફોર્મની વાત કરીએ તો 19 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે તેવી માહિતી સામે આવી છે. તો પ્રાથમિક શાળા માટે 18500થી વધારે ફોર્મ ભરાયા છે તેવી માહિતી પણ સામે આવી છે. મહત્વનું છે કે પ્રાથમિક માટે મુદ્દત લંબાવવામાં આવી છે. પાંચ દિવસ સુધી તારીખને લંબાવવામાં આવી છે.


અલગ અલગ પ્રકારે ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ  

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ભાવિ શિક્ષકો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. 11 માસના કરાર આધારિત ભરતીનો તે વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની માગ, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ઉમેદવારો પ્રયત્નો કરી રહ્યા છે. મુખ્યમંત્રી., શિક્ષણમંત્રી સહિત અનેક નેતાઓને પત્ર લખી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ સાંભળવવામાં આવ્યો ન હતો. ત્યારે ભગવાન તેમજ સાધુ સંતોને પણ પત્ર  આપી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 


17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાની તારીખને લંબાવાઈ 

કરાર આધારિત ભરતીનો એક તરફ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તે ચોંકાવનારો છે. શિક્ષણ વિભાગના દાવા અનુસાર ધોરણ 9 અને ધોરણ 10માં કરાર આધારિત ભરતી માટે રાજ્યમાંથી કુલ 19050 ફોર્મ ભરવામાં આવ્યા છે.  માધ્યમિક માટે ફોર્મ ભરવાની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. પરંતુ પ્રાથમિક માટે આ મુદતને લંબાવવામાં આવી છે. પાંચ દિવસો માટે ફોર્મ ભરવાની તારીખને લંબાવાઈ છે. એવી પણ માહિતી સામે આવી છે પ્રાથમિક માટે અત્યાર સુધીમાં 18598 ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને આગામી દિવસો દરમિયાન વધુ ફોર્મ ભરાશે તેવી સંભાવના છે. 17 સપ્ટેમ્બર સુધી આ તારીખને લંબાવવામાં આવી છે. 


એક તરફ વિરોધ તો બીજી તરફ ઉમેદવારો આપી રહ્યા છે સમર્થન!

મહત્વનું છે કે એક તરફ અનેક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે તો બીજી તરફ અનેક ઉમેદવારો એવા છે જે ફોર્મ ભરી રહ્યા છે. જ્યારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ઉમેદવારોએ કહ્યું હતું કે ફોર્મ ભરવામાં નહીં આવે પરંતુ જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. હવે જોવું એ રહ્યું કે આ આંદોલનમાં આગળ શું નવો વળાંક આવે છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!