ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કુમાર કાનાણીએ કહ્યું ઉદ્યોગપતિઓને નહીં, પરંતુ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવે


  • Published By :
  • Published Date : 2022-10-27 16:00:54

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને લઈ ગંભીર બની છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ નામ માટે મનોમંથન કરી રહી છે. ભાજપે ઉમેદવારોના નામ સિલેક્ટ કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે ભાજપના વરાછાના ધારાસભ્યે ટિકિટની વહેચણી મુદ્દે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે ઉદ્યોપતિઓની બદલીમાં કાર્યકરોને ટિકિટ આપવાની માગ કરી છે.


ઉદ્યોગપતિએ ભાજપ માટે કંઈ કામ નથી કર્યું - કાનાણી

ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપના નિરીક્ષકો 3 દિવસમાં ઈચ્છુક ઉમેદવારોના બાયોડેટા લઈ તેમને સાંભળી રહ્યા છે. ત્યારે સુરતમાં વિધાનસભાની પહેલા કુમાર કાનાણીએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે ભાજપના ઉમેદવારોને ટિકિટ આપવાની વાત કરી છે. ઉદ્યોગપતિને ટિકિટ આપવા પર તેમણે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિએ ભાજપ માટે કંઈ કામ નથી કર્યું. તો કોઈ ઉદ્યોગપતિને શા માટે ટિકિટ આપવી જોઈએ. ભાજપ સાથે લેવા-દેવા ન હોય તેમને ટિકિટ ન અપાય. કુમાર કાનાણીએ નિવેદન એ સમયે આપ્યું છે જ્યારે વરાછા બેઠક પર ઉદ્યોગપતિ માટે ટિકિટની માગ કરવામાં આવી છે. ઉદ્યોગપતિ અને આરએસએસ સાથે જોડાયેલા દિનેશ નવડિય માટે ટિકિટ માગવામા આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.