ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતની ચૂંટણી વ્યવસ્થાની કરી પ્રશંસા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-27 13:29:04

હાલના સમયમાં તો અવારનવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને આડેહાથ લેતા રહે છે . પરંતુ હવે એક બાબતને લઇને ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતની પ્રશંસા કરી છે તે છે ભારતની ચૂંટણી પ્રણાલી . ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકામાં ચૂંટણી પ્રણાલીને લઇને મહત્વપૂર્ણ સુધારા કર્યા છે . આ માટેના એક્ઝિકયુટીવ ઓર્ડરમાં ભારતની ચૂંટણી પ્રણાલીનું  ઉદાહરણ આપ્યું છે.  ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ સુધારા કર્યા છે, જેનો ઉદ્દેશ્ય મતદાન પ્રણાલીને વધુ પારદર્શી અને સુરક્ષિત બનાવવાનો છે. જેના હેઠળ આ મુખ્ય ફેરફારો લાગુ કરવામાં આવ્યા. 

Donald Trump - Wikipedia

૧. નાગરિકતાનો પુરાવો  ફરજિયાત: મતદાર નોંધણી અને મતદાન માટે હવે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ પગલું ગેરકાયદેસર મતદાનને રોકવા અને ચૂંટણીની અખંડિતતા જાળવવા માટે લેવાયું છે.

૨. મતપત્રોની ગણતરી માટે સમયમર્યાદા: ચૂંટણીના દિવસ સુધીમાં તમામ મતપત્રો એટલેકે બેલેટની ગણતરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા નવા નિયમો ઘડવામાં આવ્યા છે, જેથી પરિણામોમાં વિલંબ ન થાય.

૩. ફોરેન ડોનેશનસ એટલેકે , વિદેશથી આવતા પૈસા પર પ્રતિબંધ મુકવો જેનાથી અમેરિકન ચૂંટણીઓની અખંડિતતા જળવાયેલી  રહે . 

૪. અમેરિકાના રાજ્યોએ પોતાની મતદારયાદીની ચકાસણી ત્યાંની કેન્દ્ર એટલેકે , ફેડરલ ગવર્મેન્ટના ડિપાર્ટમન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને ડિપાર્ટમન્ટ ઓફ ગવર્મેન્ટ એફીસીયંસીને જમા કરાવવી પડશે . આપને કહી દયિકે , આ નવું ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીસીયંસી એ ઈલોન મસ્ક સાંભળે છે. તેનાથી ફેકવોટરને અલગ કાઢી શકાશે. 

૫. ઈલેક્શન આસીસ્ટન્સ કમિશનને તેમણે આદેશ આપ્યો છે , મતગણતરી દરમ્યાન બારકોડ અને ક્યુઆર કોડનો ઉપયોગ બંધ કરો .      

ટ્રમ્પે આ આદેશમાં ભારત અને બ્રાઝિલની ચૂંટણી વ્યવસ્થાને આદર્શ ગણાવી છે, જ્યાં મતદાર ઓળખ યાદી બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડાયેલી છે. તેમનું કહેવું છે કે અમેરિકા અગાઉ સ્વ-ચકાસણી પર આધારીત  હતું, જે પૂરતું સુરક્ષિત ન હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ લાંબા સમયથી અમેરિકાની ચૂંટણી વ્યવસ્થાને શંકાની દ્રષ્ટિએ જોતા રહ્યા છે . તેમનું માનવું છે કે , અમેરિકા પાયાના મતદારોને સુરક્ષા આપવામાં બીજા દેશો કરતા ખુબ પાછળ છે.  ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે , " આપણો દેશ એટલો બીમાર છે કે , આપણી ચૂંટણીઓ ઘણા અંશે ફેક છે . અમે તેમાં સુધારા કરીશું . મને ગર્વ છે કે આ એક્ઝીક્યુટીવ ઓર્ડર પર હું સાઈન કરવા જઈ રહ્યો છુ."  ડોનાલ્ડ ટ્રમ્પના આ સુધારા ભવિષ્યમાં ૨૦૨૬ના મીડટર્મ અને ૨૦૨૮ની રાષ્ટ્રપતિની ચૂંટણીઓને લઈને મહત્વના હશે .  વાત કરીએ , ભારતની તો ભારતની ચૂંટણી પ્રણાલીએ ઘણા કીર્તિમાન સ્થાપિત કર્યા છે . જેમ કે , આપણા ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ટી.એન. શેષાન મતદારકાર્ડ પર ફોટો લઇને આવ્યા જેનાથી ફેક વોટિંગને દૂર કરી શકાય .



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે