અમેરિકાના 'ચાણક્ય' હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન, તેમને શા માટે કહેવાય છે ભારતના દુશ્મન-1?


  • Published By :
  • Published Date : 2023-11-30 16:10:22

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી અને અમેરિકાના ચાણક્ય તરીકે જાણીતા હેનરી કિસિન્જરનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે 30 નવેમ્બરે અમેરિકાના કનેક્ટિકટ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો.. હેનરી કિસિન્જરએ અમેરિકાના બે પ્રમુખ રિચર્ડ નિક્સન અને ગેરાલ્ડ ફોર્ડના કાર્યકાળમાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે 27 મેના રોજ તેમનો 100મો જન્મ દિન મનાવ્યો હતો. હેનરી કિસિન્જર આધુનિક અમેરિકાના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. જો કે તેઓ ભારત માટે હંમેશા વિલન રહ્યા હતા. ભારત પ્રત્યે ધૃણા રાખનારા કિસિન્જરે વર્ષ 1971માં પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું અને પ્રમુખ રિચાર્ડ નિક્સનને ભારત વિરૂધ્ધ ઉશ્કેર્યા હતા.


કોણ હતા હેનરી કિસિંજર?


હેનરી કિસિંજરનો જન્મ 1923માં જર્મનીમાં થયો હતો. તેઓ 1938માં અમેરિકા આવ્યા હતા. 1943 માં, તેઓ અમેરિકન નાગરિક બન્યા અને ત્રણ વર્ષ સુધી અમેરિકન સેનામાં સેવા આપી હતી. આ સિવાય તેણે કાઉન્ટર ઈન્ટેલિજન્સ કોર્પ્સમાં પણ કામ કર્યું હતું. સ્નાતક, માસ્ટર્સ અને પીએચડીની ડિગ્રી મેળવ્યા પછી, તેઓ હાર્વર્ડમાં આંતરરાષ્ટ્રીય સંબંધો પર લેક્ચર આપતા હતા. 1969 માં, તત્કાલીન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન તેમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. આ પોસ્ટ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. રિચાર્ડ નિકસનની સરકારમાં સેક્રેટરી ઓફ સ્ટેટ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. તેઓ બંને હોદ્દા એક સાથે સંભાળતા હતા.


ભારતના દુશ્મન-1?  


વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુધ્ધ વખતે અમેરિકાએ પાકિસ્તાનના સમર્થનમાં નેવીનું યુએસએસ એન્ટરપ્રાઈઝ સહિત 7માં બેડાને અનેક યુધ્ધ જહાજો સાથે બંગાળની ખાડીમાં રવાના કર્યો હતો. જો કે  તે યુધ્ધ જહાજ ઢાકાથી હજાર કિમીના અંતરે હતા અને ધીરે-ધીરે આગળ વધી રહ્યો હતો. જો કે આ દરમિયાન સોવિયેત રશિયાએ પણ ભારતના સમર્થનમાં તેના નૌકા કાફલાને લીલીઝંડી આપી દીધી હતી. પરિસ્થિતી એવી સર્જાઈ કે અમેરિકાએ યુધ્ધમાં દખલ દેવાના બદલે પીછેહઠ કરી હતી. 



ઈન્દિરા ગાંધીને ડરાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો


હેનરી કિસિંજર ઇચ્છતા હતા કે 1971માં ભારતીય સેના પૂર્વ પાકિસ્તાનમાં દખલ ન કરે.આવી સ્થિતિમાં તેમણે ઈન્દિરા ગાંધી પર દબાણ લાવવાની કોશિશ શરૂ કરી. કિસિંજરના કહેવા પર રિચર્ડ નિક્સને ઈન્દિરા ગાંધીનું અપમાન કર્યું અને તેમને મળવા માટે લાંબો સમય રાહ જોવી પડી. આ પછી મીટિંગમાં પણ નિક્સને ઈન્દિરા ગાંધી સાથે ખૂબ જ તુમાખીથી વાત કરી અને પાકિસ્તાન પર હુમલો રોકવા માટે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ઈન્દિરાએ સ્પષ્ટપણે કહ્યું કે નિર્ણય બદલાશે નહીં કારણ કે પૂર્વ પાકિસ્તાનના ઘટનાક્રમના કારણે ભારતમાં જે કટોકટી ઊભી થઈ છે તેના પર અમે ચૂપ રહી શકીએ નહીં. ઈન્દિરા ગાંધી અમેરિકાથી પરત ફર્યા અને ભારતીય સેનાએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.