અમેરિકાએ બિટકોઈન ETFને આપી મંજુરી, ભારતનો પ્લાન શું છે, RBI ગવર્નરે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2024-01-12 14:42:45

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે વિશ્વ અને ઈમર્જિંગ માર્કેટ્સ માટેના જોખમોને ટાંકીને, ક્રિપ્ટો અંગે કહ્યું કે અમે અન્યનું અનુકરણ કરીશું નહીં. દાસે સ્પષ્ટ કર્યું કે ક્રિપ્ટો કરન્સી સામે RBI અને તેમનો પોતાનો વિરોધ બદલાશે નહીં. તેમણે કહ્યું, 'મને નથી લાગતું કે દુનિયા કે ઈમર્જિંગ માર્કેટ્સ ટ્યૂલિપ મેનિયા જેવા ક્રિપ્ટોમેનિયાના જોખમને સહન કરી શકે છે.' ગુરુવારે  યોજાયેલા ફાયનાન્સિયલ સેક્ટરના સેમિનારને સંબોધતા દાસે કહ્યું કે ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે ક્રિપ્ટોના માર્ગ પર જવાથી ઘણા જોખમો પેદા થશે અને તેને પહોંચી વળવું ખૂબ જ મુશ્કેલ બનશે.


RBI ગવર્નરે શું કહ્યું?


ક્રિપ્ટોકરન્સી અંગે અમેરિકાના પગલા અંગે તેમને પૂછવામાં આવતા દાસે કહ્યું ' સવાલ એ છે કે તમે તે માર્ગે શા માટે જવા માંગો છો? તમને શું ફાયદો થશે?' તેમણે કહ્યું કે હું આ અંગે કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો કે અન્ય દેશએ શું કર્યું છે. તે માત્ર એટલું જ જાણે છે તેમના દેશ માટે શું સારૂં છે, જો કે હું એટલું તો ચોક્કસ કહીંશ કે તેમણે ખુદ તેના જોખમો શોધી કાઢ્યા છે, અને લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. ઉલ્લેખનિય છે અમેરિકાની રેગ્યુલેટર દ્વારા બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજુરી મળી ગઈ છે અને તેના માટે નિયમોમાં જરૂરી ફેરફારો પણ કર્યા છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.