AMC વ્હાઈટ ટોપિંગ પદ્ધતિનો ઉપયોગ કરી કરશે અમદાવાદના રોડ-રસ્તાનું નિર્માણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-30 13:11:32

વરસાદ પડવાને કારણે રસ્તાઓની હાલત એકદમ બિસ્માર થઈ ગઈ છે. તંત્રના કહેવા પ્રમાણે રસ્તાઓનું રિસર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ખરાબ રસ્તાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રોડના સમારકામ દરમિયાન રસ્તા પર થિગડા મારવામાં આવતા હોય તેવું લાગે છે.ત્યારે આ સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અમદાવાદમાં પહેલી વખત વ્હાઈટ ટોપ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રોડ બનાવામાં આવી રહ્યો છે. ગુરૂકુળ વિસ્તારમાં આ રોડ તૈયાર કરાઈ રહ્યો છે. 

AMCએ 25 માર્ચથી તમામ કોન્ટ્રાક્ટમાં 'ફોર્સ મેજર' કલમ લાગુ કરી, 2500 કરોડથી  વધુનાં કામો અટકશે, અન્ય શહેરોમાં આ નિયમ લાગુ થઈ શકે | AMC has implemented  'force ...

રસ્તા પર AMC દ્વારા થઈ રહ્યા છે અખતરા

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મતદારોને આકર્ષવા પાર્ટી તમામ પ્રયાસ કરી રહી છે. ખરાબ રોડ એક એવો મામલો છે જેની સીધી અસર મતદારો પર પડતી હોય છે. ખરાબ રસ્તાને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ચૂંટણી સમયે AMC રસ્તા પર અખતરા કરી રહ્યું છે. તંત્રએ વ્હાઈટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવાની શરૂઆત કરી છે. આ રોડને ડામરના રોડ કરતા વધારે મજબૂત માનવામાં આવે છે.

White top Road

અગાઉ પ્લાસ્ટિકથી રોડ બનાવાની કામગીરી કરાઈ હતી  

ખરાબ રોડને લઈ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું હતું. બોલપેન નાખવા માત્રથી રસ્તા પરનો ડામર ઉખડી ગયો હતો. વિપક્ષ દ્વારા આ વાતને લઈ સત્તા પક્ષ પર હુમલો કરવામાં આવ્યો હતો. અને ખરાબ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્રએ પ્લાસ્ટિકથી રોડ બનાવાનું નક્કી કર્યં પરંતુ તે પદ્ધિતી ખર્ચાળ લાગતા તંત્રએ કામ બંધ કરી દીધું હતું.   

White top Road In Ahmedabad

અંદાજીત 20 કરોડના ખર્ચે બનશે આ રોડ

ખરાબ રસ્તાને સુધારવા ગુજરાત હાઈકોર્ટે તંત્રને અનેક વખત ટકોર કરી છે. પરંતુ યોગ્ય પગલા લેવામાં નથી આવ્યા. ત્યારે રોડ સારો અને ટકાઉ બને તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. આ રોડ ગુરૂકુળ રોડ પાસે આવેલા તિર્થનગર પાસે તૈયાર કરવામાં આવશે. આ રોડ અંદાજીત 5 કિ.મી રોડ બનાવવામાં આવશે. આ રોડને બનાવા પાછળ અંદાજીત 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે.




ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.