સફાઈ જળવાય તે માટે એએમસી લેશે પગલાં, અમદાવાદમાં સોસાયટી બહાર કચરો નાખ્યો તો થશે આટલા હજારનો દંડ!


  • Published By :
  • Published Date : 2023-03-29 11:13:54

સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરવામાં આવી છે. દેશભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ એવી અનેક જગ્યાઓ છે જ્યાં સ્વચ્છતાની જગ્યાએ કચરો જોવા મળતો હોય છે. અમદાવાદમાં પણ એવી અનેક સોસાયટીઓ હોય જ્યાં એન્ટરન્સ પર કચરો જોવા મળતો હોય છે. અનેક સોસાયટી બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે ત્યારે અમદાવાદમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એએમસી કડક બન્યું છે. મ્યુનિસિપિલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જે શહેરભરમાં ફરશે. સોસાયટીની બહાર કચરો જોવા મળશે તો દંડ ફટકારવામાં આવશે. 10 હજાર જેટલો દંડ ફટકારવામાં આવી શકે છે.


સોસાયટી બહાર કચરો નાખતા પહેલા ચેતી જજો  

કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દેશમાં સાફ સફાઈ રહે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ એવી અનેક જગ્યાઓ છે જ્યાં સફાઈની બદલીમાં ગંદકી જોવા મળતી હોય છે. અમદાવાદમાં અનેક સોસાયટીઓ બહાર કચરો નાખેલો જોવા મળતો હોય છે. સોસાયટી બહાર કચરો જોવા મળશે તો દંડ કરવામાં આવશે. 


એએમસીની ટીમોને કરાઈ તૈનાત 

અમદાવાદમાં સ્વચ્છતા રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગઈ છે. આજથી અમદાવાદની કોઈ સોસાયટીની બહાર કચરો હશે તો 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. તે ઉપરાંત કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની બેગમાં પેક કરાયેલા ખાદ્ય પદાર્થ સહિતની વિવિધ વસ્તુઓ વેચતા એકમો પર પણ નજર રાખવામાં આવશે. કચરાના વેસ્ટમાંથી પ્લાસ્ટિકનો કચરો ત્વરિત લેવા સૂચના આપવામાં આવી છે. અનેક જગ્યાઓ પરથી ચાના કપ પણ મળી આવે છે. મળતી માહિતી અનુસાર હજુ પણ રોજના 20 લાખ જેટલા ચાના કપ મળી આવે છે. એવામાં એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની આ ટીમો દ્વારા આ અંગે પણ ઝુંબેશ ચલાવવામાં આવશે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!