AMCની ઢોર પકડનારી ટીમ પર નિકોલમાં બુધવાર રાત્રે માલધારીએ તલવારથી કર્યો હુમલો, એક કર્મચારી ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:57:21


અમદાવાદમાં રખડતા ઢોર પકડવા જતી અમદાવાદ મ્યુનિસિપલ કેર્પોરેશનની ટીમ પર અવારનવાર હુમલા થતા રહે છે. હાઇકોર્ટના હુકમનું પાલન કરતી AMCની ટીમ પર હુમલાની વધુ એક ઘટના બની છે. માલધારીઓએ નિકોલમાં હુમલો કર્યો હતો. નિકોલમાં રખડતી ગાયો સહિત  અન્ય પશુઓને પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કેર્પોરેશનની ઢોર પકડનારી ટીમ ગયેલી ત્યારે તેના ઉપર માલધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં એક કર્મચારીને તલવાર મારી હતી. માલધારીઓએ ટીમના કર્મચારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નિકોલ પોલીસે ગોમતીપુરના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલો થયો તે અંગે AMCના ઢોર અંકુશ વિભાગમાં નોકરી કરતા ઈકરામમુદ્રીન અયુબખાન પઠાણ (ઉ.વ.52)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન સામે રહેતા મહેશભાઇ ભીખાભાઇ રબારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ વિગતો આપતા જણાવ્યું હતું  કે ગઈકાલે રાતે સેનેટરી સબ ઇન્સ્પેકટર તથા પોલીસ બંદોબસ્ત સાથે જાહેર રોડ ઉપર રખડતા ઢોર પકડવા માટે ગયા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. માલધારીઓના ટોળાએ કોર્પોરેશનની ટીમ પર હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ભગાડી મૂકયા હતા.


ગંભીર રીતે ઘાયલ કર્મચારી હોસ્પિટલમાં ખસેડાયા


પ્રથમ ગોમતીપુર વિસ્તારમાંથી બે ગાયો પકડીને ડબ્બામાં પુરેલી હતી બાદમાં મધરાતે નિકોલ વિસ્તારમાં મનમોહન ચાર રસ્તાથી ખોડિયાર માતાના મંદિર તરફ જતા હતા. આ સમયે  રખડતી ગાયને કોર્ડન કરીને પકડતા હતા જ્યાં ગોમતીપુર પોલીસ સ્ટેશન પાસે રહેતા મહેશ રબારીએ આવીને ફરિયાદી પર તલવારથી હુમલો કર્યો હતો અને જાનથી મારી  નાંખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘાયલ ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.