રખડતા ઢોર મુદ્દે AMCના બેદરકાર અધિકારીઓ સામે FIR નોંધાઈ, રેલો પગ નીચે આવતા તંત્ર જાગ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 13:36:02

અમદાવાદાના માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની છે. હાઈકોર્ટના ઓર્ડર છતાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર રખડતા ઢોર મુદ્દે તદ્દન નિષ્ફળ રહ્યું છે. જો કે હવે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા તંત્ર દોડતું થયું છે. આ ફરિયાદમાં રખડતા ઢોરને અંકુશમાં રાખનારા અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


AMCના અધિકારીઓ શા માટે નોંધાઈ ફરિયાદ?


અમદાવાદના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરે અડફેટે લેતા 39 વર્ષીય ભાવિન પટેલ નામના યુવાનને અકસ્માત થયો હતો. બ્રેઈનમાં મલ્ટીપલ હેમરેજની સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ કેસમાં મૃતકના મોટા ભાઈએ જાહેર રસ્તા પર ગાયને છૂટી મુકનારા ગાયના માલિક અને તે સાથે જ રસ્તાઓ પર રખડતાં ઢોર પકડવા મામલે બેદરકારી દાખવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે AMCના અધિકારી અને ઢોરના માલિક સામે નોંધ્યો ગુનો હતો. AMCના અધિકારીઓ સામે કલમ 304 હેઠળ ગુનો નોંધવામાં આવતા મ્યુનિસિપલ તંત્ર દોડતું થયું છે. બીજી બાજુ મૃતક ભાવિન પટેલના પરિવારજનો જવાબદાર અધિકારીઓ સામે કડક અને સત્વરે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. 


અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ


અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ગાયે અચાનક જ ડિવાઈડર ક્રોસ કરીને બાઈક પર સવાર ભાવિન પટેલને હડફેટમાં લીધા હતા. અવની સ્ક્વેર પાસે ભેરૂનાથ ટી સ્ટોલ સામે બનેલી અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે. ગાય અચાનક જ રસ્તો અને ડિવાઈડર ક્રોસ કરીને સામેના રસ્તે દોડી ગઈ હતી અને ભાવિન પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.