મિલકત વેરો નહીં ભરનારા ડિફોલ્ટરો સામે AMCની લાલ આંખ, પ્રોપર્ટી સીલ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-01-19 14:01:00

અમદાવાદામાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકો સામે AMCએ હવે આકરૂ વલણ અપનાવ્યું છે. AMCએ પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકોની મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં 290થી વધુ મિલકતોની એક સાથે તાળાબંધી કરી છે.


ડિફોલ્ટરો સામે AMCની લાલઆંખ 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વ્યાજ માફી સ્કીમ ચાલુ હોઇ તેમ છતાં ઘણાં સમયથી મિલકત વેરો નહિં ભરનાર ડિફોલ્ટરો સામે પશ્ચિમ ઝોન ટેક્ષ ખાતા તરફથી જુના કર વેરા વસુલવા વ્યક્તિગત કોમ્પલેક્ષમાં જઇ બાકીદારોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરાઇ હતી.  AMCએ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા હોય તેવા લોકોની મિલકતો સીલ કરી છે. જેમાં શાયોના ગ્રીન, પરિવાર હોમ ગોતા, દેવ આદિત્ય આર્કેટ, શીલજ ભવ્ય કોમ્પલેક્ષ બોપલ સહિતની દુકાનોને સિલ કરવામાં આવી છે. આ રીતે એક જ દિવસમાં AMCને ટેક્ષની 3.41 કરોડની આવક થઈ છે.આ જ પ્રકારે ગઈકાલે વિડીયોકોન, આશ્રમ રોડ, સહજાનંદ પ્લાઝા, પાલડી, સત્યમ એપાર્ટમેન્ટ, સોલા, સરદાર પટેલ નગર, ચેનપુર, એસ.વી.સ્કેવર, ન્યુ રાણીપ, મધુર કોમ્પલેક્ષ, નારણપુરા, ફોરડી સ્કેવર, ગાંધીનગર મળી કુલ 69 સીલ મારવામાં આવ્યા હતા. જેમાંથી પશ્ચિમ ઝોનની કુલ 1.19 કરોડ આવક થઈ છે. તથા તા.18-01-2023ના રોજ કુલ 21 મિલકતોને સીલો મારવામાં  જેમાં આજે18-01-ના રોજ 1.01 કરોડ આવક થઈ છે. આજે સાબર એવન્યુ, નવરંગપુરા, સિમંધર, ચાંદખેડા, કુંજન કોમ્પલેક્ષ,નવરંગપુરા, અભીશ્રી એવન્યુ, આંબાવાડી, પીપલેશ્વર સોસાયટી, ચેનપુરમાં કાર્યવાહી કરાઈ હતી.


વર્ષ દરમિયાન 1702 એકમો સીલ 


બીજી બાજુ ડે.મ્યુનિસિપલ કમિશનર (પૂર્વઝોન)ની સુચનાથી આજે બાકી રહેલ પ્રોપર્ટી ટેક્ષ ચુકવણીની રકમ ન ભરતા હોઈ તેવા કરદાતાઓની મિલ્કતો ઉપર ઝોનમાં આવેલ વિવિધ વોર્ડના એકમોને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બીલેશ્વર ઈન્ડ.એસ્ટેટ, ઓઢવ, કેશવ ગાર્ડન રેસ્ટોરન્ટ,નવા નરોડા, સમૃધ્ધિ કોમ્પલેક્ષ,નવા નિકોલ, આબાદ એસ્ટેટ, રખિયાલ, અક્ષરધામ રેસી એન્ડ કોર્મશિયલ વસ્ત્રાલ સહિત 78 એકમોને સહિત ચાલુ વર્ષ દરમિયાન ૧૭૦૨ એકમોને સીલ કરાયા છે. ભવિષ્યમાં પણ આકરી કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.ત્યારબાદ હવે રહેણાંક વિસ્તારમાં પણ ટેક્ષ વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!