રખડતા ઢોર પર નિયત્રંણ લાવવા AMCની નવી પોલિસીને મંજુરી, પશુપાલકોએ પરમીટ અને લાયસન્સ લેવું ફરજીયાત


  • Published By :
  • Published Date : 2023-07-13 18:14:57

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, રખડતા ઢોરની અડફેટે આવવાથી લોકોના મોત થઈ રહ્યા હોવાની ઘટના અવારનવાર બનતી રહે છે. રખડતા ઢોરના ત્રાસને રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂરી થઈ છે. ત્યારે બેઠકમાં રખડતા ઢોર અંગેની નવી પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, ‘માલિકીની જગ્યા હોય તો જ ઢોર રાખી શકાશે. ગુજરાત હાઇકોર્ટની ગાઈડલાઈન, ગુજરાત સરકારના પરિપત્રો પોલીસ અને જીપીએમસી એક્ટ મુજબની અલગ અલગ જોગવાઈઓ મુજબ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવવામાં આવી છે.


નવી પોલિસીમાં શું જોગવાઈ કરાઈ?


(1) ઢોર માલિકોએ શહેરમાં ઢોર રાખવાની જગ્યા (2) ઢોર રાખવા લાયસન્સ/પરમીટ પ્રથા દાખલ કરવી (3)પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી (4)દંડ/ચાર્જમાં સૂચિત વધારો (5)ઢોર માલિક તથા ઢોર નોંધણી (6) RFID ચીપ અને ટેગ ફરજીયાતપણે લગાવવી (7)જાહેરનામા ભંગની ફરિયાદો દાખલ કરવી (8) ઢોર માલિકો દ્વારા નહીં છોડાવેલા પશુઓને શહેર બહાર પાંજરાપોળમાં મોકલવા (9)ઢોરને આજીવન નિભાવવામાં વન ટાઇમ નિભાવ ખર્ચ રૂપિયા 4000 ચૂકવવા (10) દુધાળા, ખેતીલાયક, અન્ય ઉપયોગી પશુઓને શહેર બહારના દુરના ગામડાના લાભાર્થીને જાહેર હરાજીથી આપવા (11)કેટલ પોન્ડ/ ટેમ્પરરી કેટલ શેડ બનાવવા (12)એનિમલ હોસ્ટેલ બનાવવી વગેરે..


ઢોર માલિકો સામે થશે દંડનિય કાર્યવાહી


અમદાવાદમાં ઢોર માલિકે વ્યક્તિગત રીતે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખે તેમણે પરમીટ લેવાની રહેશે. પશુમાલિકો પશુના દૂધના વેચાણમાં અથવા પશુનો અન્ય રીતે વ્યવસાયિક ઉપયોગ કરતા હશે તેમણે લાયસન્સ લેવાનું રહેશે. પરમીટ-લાયસન્સનો સમયગાળો પોલિસી અમલમાં આવેથી ત્રણ વર્ષ માટેનો રહેશે. ત્રણ વર્ષ માટેના લાયસન્સની ફી 2000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે પરમીટની ફી રૂપિયા 50 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત રખડતા પશુ અંગેની તમામ જવાબદારી પશુમાલિકની જ રહેશે. રખડતા પશુને કારણે નુકસાન થાય તો નુકસાની દાવાની કાર્યવાહી કરી શકાશે. પશુપાલક શહેરની બહારથી નવા ઢોર લાવે તો તેમણે એક માસમાં પશુ નોંધણી કરાવી દેવી પડશે. જો એક જ ઢોર ત્રણ વખત પકડાય તો બમણો દંડ ફટકારવામાં આવશે. જો ઢોર ત્રણ વખતથી વધુ વખત પકડાશે તો ઢોર પાછું નહીં મળે. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ શહેરમાં હાલ 21 ટીમ દ્વારા શહેરના સાત ઝોનમાં રખડતા ઢોર પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!