AMCના સંચાલકોએ ફ્લાવર શો માટે મોડે મોડે શરૂ કર્યુ ઓનલાઇન ટિકિટ બુકિંગ


  • Published By :
  • Published Date : 2023-01-10 13:59:05

અમદાવાદમાં શરૂ થયેલા ફ્લાવર શોને લઈ શહેરીજનોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર ઈવેન્ટ ગ્રાઉન્ટ અને ફ્લાવર ગાર્ડન ખાતે શરૂ થયેલો આ ફ્લાવર શો 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ચાલશે. ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ શોની દરરોજ 25 હજારથી પણ વધુ લોકો મુલાકાત લઈ રહ્યા છે. જો કે ફ્લાવ્યર શોમાં ઉમટતી ભીડ ચિંતાનો વિષય બન્યો છે. મોટી સંખ્યામાં લોકો ટિકિટ ખરીદવા માટે ટિકિટબારી પર લાંબી લાઈનો લગાવે છે. ટિકિટ માટેની લાંબી કતારોના કારણે ફ્લાવર શોમાં અવ્યવસ્થા સર્જાય છે.  


ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા


ફ્વાવર શો જોવા આવતા મુલાકાતીઓને ટિકિટ માટે લાઈનો લગાવવની ન પડે તે માટે AMCએ ખાસ ઓનલાઈન વ્યવસ્થા કરી છે. અમદાવાદ મનપા દ્વારા મુલાકાતીઓ માટે ઓનલાઇન બુકિંગની મોડે મોડે સુવિધા શરૂ કરવામાં આવી છે. લોકો ઘરે બેઠા ઓનલાઇન ટિકિટ બુક કરાવી લાઈનમાં ઉભા રહેવાથી બચી શકશે. આ માટે મનપા દ્વારા જાહેર કરવામાં આવેલી www.sabarmatiriverfront.com તેમજ www.riverfrontparktickets.com પરથી તેઓ ટિકિટ મેળવી શકશે. તે ઉપરાંત ટિકિટ બારી ઉપર ક્યુઆર કોડ પણ મુકવામાં આવ્યા છે. જેને દ્વારા મોબાઈલમાં ક્યુઆર કોડ  અથવા કેમેરાથી સ્કેન કરી શકાશે. ક્યુઆર કોડ સ્કેન કરી અને જે લિંક આવે તે ઓપન કરી અને તેમાં તમામ વિગતો ભરવાની રહેશે અને ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે અને ત્યાર બાદ ટિકિટ પ્રાપ્ત કરવાની રહેશે.


કેટલો છે ટિકિટ ચાર્જ? 


અમદાવાદ ફલાવર શો માટે આવનારા મુલાકાતીઓ માટે ટિકિટ દર નિર્ધારિત કરવામાં આવ્યો છે. 12 વર્ષથી વધુ વયના લોકો માટે ટિકીટનો દર ત્રીસ રુપિયા રાખવામા આવ્યો છે. આ ફ્લાવર સવારે 9 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી ચાલુ રહેશે. ફલાવર શોમાં આવતા લોકો માટે માસ્ક પહેરવો ફરજીયાત કરાયો છે. આ વર્ષે દસ લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લે તેવી સંભાવના છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.