AMC એક્શન મોડમાં, પેપર કપ બાદ ચાની કીટલીઓ પર પાર્સલમાં આપવામાં આવતી થેલી પર લાગશે પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-01-24 12:55:07

અમદાવાદમાં ચાની કીટલી પર મળતા પેપર કપ પર એએમસી દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાના કપ બંધ થતા ચાની કિંમતમાં વધારો થયો છે. ત્યારે એએમસી દ્વારા વધુ એક વસ્તુ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કીટલી પર પાર્સલમાં આપવામાં આવતી માઈક્રોનની પ્લાસ્ટિકની થેલીઓ બંધ કરવામાં આવશે. પાર્સલમાં 60 માઈક્રોનથી ઓછી જાડાઈની થેલી આપી નહીં શકાય. 

ચાહત અને ચા - રમેશ ઠકકર - કહુંબો


પેપર કપ પર લગાવાયો છે પ્રતિબંધ 

સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. અમદાવાદમાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખી ચાની કીટલી પર મળતા પેપર કપ પર એએમસી દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેને કારણે ચાની કીટલી પર મળતા પેપર કપ બંધ થઈ ગયા છે. પેપર કપ બંધ થતા ચાની કિંમતમાં વધારો થયો છે. 


60 માઈક્રોનથી નીચેની પ્લાસ્ટિક થેલી નહીં વાપરી શકાય 

ત્યારે એએમસી દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે.  નિર્ણય અંતર્ગત ચાની કીટલી પર 60 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગ  પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 60 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગને ડીકમ્પોસ કરવું અધરૂ છે. અને જેને કારણે પ્રદુષણ ફેલાય છે. આ વાતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે એક દિવસમાં 20 લાખથી વધુ પેપરકપ ફેકવામાં આવે છે જેને કારણે ડ્રેનેજ સિસ્ટમમાં મુશ્કેલી ઉભી થાય છે. જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.