AMC ચેરમેને જણાવ્યું શા માટે રસ્તાઓ પર પડે છે ખાડા? એવા તર્ક આપ્યા કે તમે પણ માથું ખંજવાળવા લાગશો...


  • Published By :
  • Published Date : 2023-07-04 10:58:39

અમદવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવે છે, જ્યારે ગર્વ લેવાની વાત હોય ત્યારે અમદાવાદમાં કરાયેલા કામોનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ જ્યારે અમદાવાદના રસ્તાઓ પર પડેલા ભૂવાઓની વાત હોય ત્યારે? અમદાવાદમાં થોડા દિવસોથી મેઘમહેર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઠેર ઠેર ભૂવાઓ પડી જતા અમદાવાદમાં ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય વરસાદે તંત્રની એક તો પ્રિ-મોનસુનની પોલ ખોલી છે તો બીજી રસ્તાઓની ગુણવત્તાની પોલ પણ ખોલી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.


વરસાદને કારણે અનેક વખત તૂટી  પડે છે કાચા રસ્તાઓ  

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર મેઘ મહેર જોવા મળી રહી છે. તંત્રની કામગીરી પર અનેક વખત પ્રશ્ન પૂછવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવું લાગે છે. એવી જ પરિસ્થિતિ છે અમદાવાદના રસ્તાઓની. ચોમાસા દરમિયાન અંહીયા ભૂવો પડ્યો ત્યાં ભૂવો પડ્યો તેવા સમાચારો આપવા પડે છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદના રસ્તાઓ પર અનેક ભૂવાઓ જોવા મળી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ જો સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની આવી પરિસ્થિતિ હોય તો અન્ય જગ્યાઓની કેવી પરિસ્થિતિ હશે તે આપણે જાણી શકીયે છીએ. અનેક વખત બ્રિજ તૂટી પડવાના, કાચા રસ્તાઓ તૂટી પડવાના કિસ્સાઓ આપણે જોયા છે. અમદાવાદમાં પણ ઠેર ઠેર ભૂવા વધતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે.


ચેરમેન મહાદેવ દેસાઈનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

ભૂવોઓને લઈ એક તરફ અમદાવાદીઓ પરેશાન ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોડ એન્ડ બિલ્ડિંહ કમિટીના ચેરમેન જણાવી રહ્યા છે કે રસ્તાઓ પર ભૂવા કેમ પડી રહ્યા છે. જે વીડિયો અંગે વાત કરવામાં આવી રહી છે તેમાં ચેરમેન મહાદેવ દેસાઈ કહી રહ્યા છે કે પાણી અને ડામરને વેર છે એટલે ખાડા પડે છે. વધુમાં તેઓ કહી રહ્યા છે કે ખાડાનો આંકડો જિંદગીમાં કોઈની પાસે ના હોય. ગણ્યા ગણ્યા નહીં, છાબડીમાં માય નહીં એટલા ખાડા. પાણી અને ડામરનું કોમ્બીનેશન સેટ થતું નથી એટલે જ શરૂઆતથી જ ખાડાની સમસ્યા છે. જ્યારથી ડામરના રોડ બનવાના ચાલુ થયાં એ દિવસથી આ પ્રોબ્લેમ છે. 

સામાન્ય વરસાદે બગાડી સ્માર્ટ ગણાતા અમદાવાદની તસવીર 

મહત્વનું છે કે એક તરફ અમદાવાદીઓ માટે રસ્તા પર પડેલા ખાડા, રસ્તા પર પડી રહેલા ભૂવોઓ માથાનો દુખાવો બની રહ્યા છે તો બીજી તરફ એએમસી ચેરમેન આવા પાયાવિહોણા તર્ક આપી રહ્યા છે. શું લોકોને પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવો તંત્રની જવાબદારી નથી? લોકોના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું માત્ર બે ત્રણ દિવસ પડેલા વરસાદે રસ્તાની આવી હાલત કરી દીધી તો આગામી સમયમાં એવું ન થાય કે ભૂવા વાળી જગ્યા પર રસ્તો શોધવો પડે.         



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!