AMCએ ચાની કીટલી પર અપાતા પેપર કપ પર મૂક્યો પ્રતિબંધ, આરોગ્ય માટે જોખમી હોવાને કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-19 10:04:48

રસ્તા પર કચરો થવાને કારણે તેમજ ડ્રેનેજ સિસ્ટમમાં નુકસાન પહોંચવાને કારણે AMCએ પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. તંત્રનું કહેવું છે કે આ કપને કારણે આરોગ્યને નુકસાન પહોંચે છે. આ નિર્ણયને કારણે ચાની કીટલી પર વપરાતા ડિસ્પોઝેબલ કપ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. ચાની લારીઓ પર જો પેપર કપના ગ્લાસ મળશે તે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્રનું કહેવું છે.  20 જાન્યુઆરી બાદ આ નિયમનો કડકપણ પાલન કરવામાં આવશે. આ અંગે અમદાવાદના અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હવે પેપર કપ બંધ : કિટલીઓ પર ગંદા પાણીમાં ધોયેલાં કપમાં ચ્હા પીવી પડશે |  નવગુજરાત સમય

આ તારીખ બાદ હાથ ધરાશે કડક કાર્યવાહી 

પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એએમસી દ્વારા અનેક પગલા લેવામાં આવે છે. જેને લઈ સમય સમય પર અનેક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ત્યારે ગંદકી અને ડ્રેનેજ સિસ્ટમમાં તકલીફ પડવાને કારણે આ નિર્ણય લેવાયો છે તેનું એએમસીનું કહેવું છે. ચાની કિટલી ધરાવતા લોકોને ડિસ્પોઝેબલ કપ ન વાપરવા સમજાવવામાં આવ્યા છે. કપના વિક્રેતાઓને પણ સમજાવવામાં આવ્યા છે. પેપર કપનું વેચાણ બંધ કરવા તેમજ વપરાશ બંધ કરવા 20 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો 20 જાન્યુઆરી બાદ ડિસ્પોઝેબલ કપનો વપરાશ બંધ નહીં થાય તો સીલ મારવાની કામગીરી કરવામાં આવશે. રોજે અંદાજે 25 લાખ જેટલા કપ વેસ્ટમાંથી નિકળવાને કારણે AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે   


પેપર કપ હાલ બંધ ન કરવા વેપારીઓએ કરી રજૂઆત  

સમજાવટ બાદ એએમસી દ્વારા ચાની કીટલી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે ડે. મ્યુનિ. કમિશ્નર, સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટરએ અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું. અનેક સ્થળો પરથી પેપર કપ જપ્ત પણ કર્યા હતા. 20 જાન્યુઆરી બાદ આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. ઉપરાંત ચાની કિટલી વાળાને પણ આને કારણે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આ નિર્ણયને તરત લાગુ ન કરવા માટે અનેક વેપારીઓએ રજૂઆત પણ કરી હતી.    

 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!