Ambani Parivar પહોંચ્યો Dhirubhai Ambaniની જન્મભૂમિ ચોરવાડ, અનંતે કહ્યું- 'આ ગામમાંથી 10 વર્ષમાં 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ..'


  • Published By :
  • Published Date : 2024-03-13 13:39:03

જામનગર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમમાં સામેલ થવા દેશ વિદેશથી મહેમાનો, બોલિવુડ સ્ટાર્સ, બિઝનેસમેન સહિતના લોકો આવ્યા હતા. જામનગર ખાતે આયોજીત કરવામાં આવેલો કાર્યક્રમ તો પૂર્ણ થઈ ગયો પરંતુ બીજા અનેક સ્થળો પર અંબાણી પરિવાર જઈ રહ્યો છે. ગઈકાલે અંબાણી પરિવાર ચોરવાડ પહોંચ્યો હતો. ચોરવાડ એટલે ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ. ચોરવાડ પહોંચી અનંત અંબાણીએ જે વાત કરી તે ઈમોશનલ કરી દે તેવી છે...

અનંત અંબાણીએ કર્યા દાદા ધીરૂભાઈ અંબાણીને યાદ

અંબાણી પરિવાર ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ ગઈ કાલે પહોંચ્યો હતો. અનંત અને રાધિકા તેમના દાદી કોકીલાબેન સાથે ધીરૂભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ અને બાજુના ગામ કુકસવાડાની મુલાકાતે પહોંચ્યા હતા. અનંત અંબાણી, રાધિકા અને કોકીલાબેન અંબાણી ચોરવાડમાં ઝુંડ ભવાની માતાજીના દર્શન માટે પણ ગયા હતા અને બાદમાં રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન અનંત અંબાણીએ દાદાને યાદ કરતાં કહ્યું કે આ મારા દાદાજીનું ગામ છે. ત્યારે તમે બધા મને અને રાધિકાને તેમજ મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. 


અહીંથી 10 ધીરૂભાઈ ઉભા થવા જોઈએ - અનંત અંબાણી

વધુમાં તેમણે કહ્યું કે હું અહીં તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું. તમે બધા અહીં જમી અમને ખૂબ આશીર્વાદ આપીને જજો. ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે. રિલાયન્સમાં જે કંઈ પણ છે તે ચોરવાડના કારણે છે. મને એક વિચાર આવ્યો છે કે, જેમ એક ધીરુભાઈ ચોરવાડથી ઊભા થયા છે. તેમ આ ગામમાંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. અહીંના જે બાળકો છે તે ધીરુભાઈથી પ્રેરણા લઈ આગળ વધે. આવનારા 10 વર્ષમાં અહીંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. 



અંબાણી પરિવારના કાર્યક્રમમાં દેખાઈ આવે છે ગુજરાતીપણુ 

અંબાણી પરિવાર ભલે દુનિયાના ધનિક પરિવારમાંથી એક હોય પણ જ્યારે પણ એમના ઘરે પ્રસંગ હોય ત્યારે એ લોકો બધાને એવું ફીલ કરાવે છે કે એ ગ્રાસ રૂટ સાથે જોડાયેલા છે એ પછી જામનગરમાં સમૂહ ભોજન રાખવાનું હોય 51000 લોકોને જમાડવાની વાત હોય કે પછી રિલાયન્સના ઍમ્પલોય માટે ફંક્શન રાખવાની વાત હોય એ બધા દરેક કાર્યક્રમ દરમિયાન એવું કહેતા દેખાયા છે કે અમે જે પણ છીએ એ તમારા કારણે છીએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.