વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે કહી આ વાત! હવામાન વિભાગે જણાવ્યું વાવાઝોડું ટકરાશે તે બાદ શું થશે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-13 12:59:49

વાવાઝોડાને લઈ સતત અપડેટ આવી રહી છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. તો કોઈ જગ્યા પર ભારે પવન વહી રહ્યો છે. ગુજરાતમાં વાવાઝોડું ક્યારે ટકરાશે તે અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. તે મુજબ 15 તારીખ સાંજે વાવાઝોડું માંડવીથી લઈને કરાચીની વચ્ચે ટકરાઈ શકે છે. જખૌ બંદર નજીકથી આ વાવાઝોડું પસાર થઈ શકે છે. 


વાવાઝોડા ટકરાયા બાદ શું થશે અસર?

હવામાન વિભાગ દ્વારા બિપોરજોયને લઈ અપડેટ આપવામાં આવી રહી છે. મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે કચ્છના જખૌ બંદર ખાતે બિપોરજોય ટકરાઈ શકે છે અને તે વખતે પવનની ગતિ 125થી 135 કિલોમીટર પ્રતિકલાકની હોવાની સંભાવના છે. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. તે સિવાય તેમણે માછીમારોને 16 જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. વાવાઝોડા ટકરાયા બાદ શું અસર થશે તેની માહિતી પણ મનોરમા મોહંતી દ્વારા આપવામાં આવી છે. જે મુજબ વાવાઝોડું ટકરાયા બાદ તે રાજસ્થાન તરફ જશે. જેને કારણે નોર્થ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.   



અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈ કરી આગાહી!

વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જાણકારી આપી છે. આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે 14થી 16 જૂન સમગ્ર રાજ્ય માટે ધ્યાન રાખવું જરુરી છે. દરિયા કિનારાના જિલ્લાઓની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વિસ્તારમાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને તમામ લોકોએ સાવચેતી રાખવી જરુરી છે. તે સિવાય પશ્ચિમ-ઉત્તરના ભાગોમાં ભારે પવન ફુંકાઈ શકે છે. વાવાઝોડાનું જોખમ જખૌ બંદર પર છે. પૂર્વ ગુજરાત અને રાજસ્થાનના ભાગો પર પણ વાવાઝોડાની અસર થશે. મધ્ય ગુજરાતમાં પણ પવનની અસર થશે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!