અંબાલાલ પટેલની આગાહી 'હજુ માવઠાથી નહીં મળે છુટકારો કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર'


  • Published By :
  • Published Date : 2023-11-29 14:12:21

રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોની દશા કફોડી બની છે, ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થયો છે. સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ અને કરા વર્ષા થતાં ખેડૂતોની પાક લણવાની આશા ઠગારી નિવડી છે. હવે આ પરિસ્થિતીમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી મહિનામાં હવામાનની શું સ્થિતી રહેશે તે અંગે આગાહી કરી છે. 


હજુ માવઠાનું સંકટ યથાવત


હવમાનશાસ્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળશે. તેમણે કહ્યું કે હજુ માવઠાથી છુટકારો નહીં થાય. રાજ્યમાં કરા સાથે માવઠું થશે અને હાંડ થીજવતી ઠંડી પણ અનુભવા છે. રાજ્યમાં આગામી 2થી 4 ડિસેમ્બરના રોજ એક પછી એક પશ્ચિમ વિક્ષોપ આવશે. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે. ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે. રાયડા અને સરસવના પાકને અલનિનોની અસર તેને સાનુકુળ રહેશે.


બંગાળની ખાડીમાં ચક્રવાત 

અંબાલાલ પટેલે વધુ એક ચક્રવાતની આગાહી કરતા જણાવ્યું હતું  કે 2થી 4 ડિસેમ્બરના દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતની શક્યતા છે. આ ચક્રવાત 8 ડિસેમ્બર સુધી સક્રિય રહેશે. આ ચક્રવાતના કારણે દક્ષિણ-પૂર્વીય ભાગોમાં માવઠું થશે. ભેજવાળા પવનો પશ્ચિમી પવનો સાથે મર્જ થતાં વાદળછાયું વાતાવરમ અને કમોસમી વરસાદ થશે. ભારે પવન અને કરા વરસાદ પણ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.