વરસાદના ચોથા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો શું કહયું


  • Published By :
  • Published Date : 2023-08-16 15:03:40

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. છુટાછવાયા ઝાપટાં સિવાય રાજ્યમાં ભારે વરસાદના કોઈ સમાચાર નથી. જો કે રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ હજુ બાકી જ છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શુભારંભ થશે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. નર્મદાના ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર બંધમાં પાણી આવક વધશે.


વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થશે


અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે, નક્ષત્રમાં પરિવર્તન થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. ઓગસ્ટ મહિના અંતિમ દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. 17થી 19 ઓગસ્ટ અને 21થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે. તો 26 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. તેઓએ જણાવ્યું છે કે, 21 ઓગસ્ટ બાદ બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થશે. વરસાદની બીજી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થશે. ગ્રહોની સ્થિતી બદલાતા આગામી 72 કલાકમાં ગુજરાતના મહત્તમ વિસ્તારમાં વરસાદ પડશે.


મઘા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને લાભ


અંબાલાલના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલના દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આણંદ, નડિયાદ, ખેડા, માતર સહિતના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહેશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 30 અને 31 ઓગસ્ટે મઘ નક્ષત્રમાં સારો વરસાદ થશે. મઘા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને લાભ થશે. 16 ઓગસ્ટના અગસ્ત્યના તારાનો ઉદય થતો હોવાથી વરસાદ હવે હેલી બંધ ન થાય, પરંતુ અલગ-અલગ ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે. જ્યારે વરસાદ ગયો નથી. અગસ્ત્યના ઉદય બાદ નદી સરોવર નિર્મળ થતા હોય છે. તેના ઉદય પછીનું પાણી સારું ગણાતું હોય છે.


સિઝનનો 80.69 ટકા વરસાદ


રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!