Ambalal Patelએ વરસાદ તેમજ શિયાળાને લઈ કરી આગાહી, આ તારીખ બાદ અનુભવાશે કડકડતી ઠંડી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-02 17:07:00

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે અનેક જિલ્લાઓમાં ભૂક્કા બોલાવ્યા છે. અનેક જગ્યાઓ પર એટલો વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. ઉપરવાસમાં વરસાદ થવાને કારણે તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાને કારણે ગુજરાતના અનેક ડેમોમાં પાણીની આવક ખૂબ થઈ હતી. અનેક ડેમો પોતાના મહત્તમ સપાટી પર પહોંચ્યા હતા. અનેક જિલ્લામાં એલર્ટ પણ જાહેર કરી દીધું હતું. ત્યારે હવે થોડા દિવસો બાદ ચોમાસુ વિદાય લેવાનું છે. ઓક્ટોબર મહિનામાં ચોમાસા સિઝનની પૂર્ણાહૂર્તિ થઈ જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ફરી એક વખત વરસાદની એન્ટ્રી થશે તેવી આગાહી અંબાલાલ પટેલે તેમજ હવામાન વિભાગે કરી છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે ગરમીનું પ્રમાણ

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અનેક શહેરો એવા છે જ્યાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. તે ઉપરાંત આવનાર દિવસોમાં તાપમાન વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય કરતા 3 ડિગ્રી તાપમાન વધારે નોંધાયું છે. ત્યારે ગરમીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગરમીને લઈ આગાહી કરી છે. અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી ભારે ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગુજરાતના અનેક ભાગોમાં ગરમી 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 


નવરાત્રી દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસી શકે છે વરસાદ!

ગરમીને લઈને તેમણે આગાહી તો કરી છે પરંતુ ઓક્ટોબરમાં વરસાદ થશે તેવી આગાહી પણ અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 12થી 14 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. નવરાત્રી દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. 15 ઓક્ટોબર આસપાસ વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. આજ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. 2 ઓક્ટોબરના રોજ સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 10મી ઓક્ટોબર આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. જેને કારણે અમુક સ્થળો પર વરસાદ વરસી શકે છે. 


5 ફેબ્રુઆરી બાદ થશે કાતિલ ઠંડીનો અનુભવ 

ગુજરાતમાં શિયાળો ક્યારથી શરૂ થશે તેની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. 19 ડિસેમ્બર બાદ હિમાલય પર ભારે હિમવર્ષાની થઈ શકે છે. આ ભારે હિમવર્ષાને કારણે ફેબ્રુઆરીમાં કડકડતી ઠંડીની શક્યતાઓ રહેલી છે. 5 ફેબ્રુઆરી બાદ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!