અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના


  • Published By :
  • Published Date : 2023-11-24 20:36:08

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનમાં પલટો આવવાના અણસાર આપ્યો છે. ગુજરાતમાં શિયાળાની સીઝનમાં કમોસમી વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે.  અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યમાં ઠંડી અને ગરમીની બેવડી ઋતુની વચ્ચે હવે માવઠું પણ થશે. ગુજરાતમાં તારીખ 26થી 28ના રોજ માવઠું થશે. આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની આગાહી કરતા અંબાલાલ પટેલે ખેડૂતોને પણ સાવધ રહેવાની અપીલ કરી છે.


શું કહ્યું અંબાલાલ પટેલે?


હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, નક્ષત્રોની અસર ગુજરાત પર થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે. તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. તેમના મતે આગામી દિવસોમાં ખગોળીય દ્રષ્ટિએ જોતા શુક્રના ભ્રમણના લીધે તારીખ 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સ્વાતી નક્ષત્રનો શુક્ર ભારે વરસાદ કરશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ચિત્રા અને સ્વાતી નક્ષત્રની અસર ગુજરાતમાં પણ થશે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ છે, જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુંબઇ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.


આ વિસ્તારોમાં માવઠાની આગાહી


અંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દરિયા કિનારાના ભાગો એટલે કે ગિર-સોમનાથ, વેરાવળ, જામનગર ઉપરાંત અમરેલીમાં પણ વરસાદ પડશે. આ માવઠું સિઝનનું ભારે માવઠું હશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને કચ્ચમાં પણ વરસાદ પડી શકે. અમુક ભાગમાં ચોમાસા જેવો ભારે કમોસમી વરસાદ પડશે. 


હવામાન વિભાગે પણ કરી છે આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની જેમ જ હવામાન વિભાગે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 થી 27 નવેમ્બર દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 26 નવેમ્બરના રોજ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદના ઝાપટા પડવાની આગાહી છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.