વાવાઝોડાને હળવાશથી ન લો, ચક્રવાતની અસરો વિનાશક હશે: અંબાલાલ પટેલ


  • Published By :
  • Published Date : 2023-06-12 13:16:27

બિપોરજોય વાવાઝોડાની વિનાશકતાને કારણે રાજ્યમાં તંત્ર હાઈ એલર્ટ પર છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપોરજોય વાવાઝોડુ  પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે. વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે પણ લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી.પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. 


કેટલું ખતરનાક હશે વાવાઝોડું?


બિપોરજોય વાવાઝોડાની વિનાશક અસરો અંગે અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની ભયાનક અસર થશે. આજથી 2 દિવસ જોરદાર પવન ફુંકાશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડાના કારણે જાનમાલના નુકસાનની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.


ભારે પવન ફૂંકાશે કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ


બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, અરબી સમુદ્રમાંથી  ગુજરાતના દરિયાકાંઠા લગાવવામાં આવેલા ભયજનક સિગ્નલ જ વાવાઝોડું કેટલું ગંભીર છે તે સૂચવે છે. દરિયા કિનારે ખતરો વધારે છે. જેના લીધે રાજ્યમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા રહેશે. આજથી જ ગુજરાતના વિવિધ ભાગો જ નહીં, પરંતુ રાજસ્થાન, ઉત્તર-મધ્યના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં જબરદસ્ત આંધી ચાલશે. જૂનાગઢ, વેરાવળમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી શકે છે.


કચ્છમાં   13 જૂન થી 15 જૂન શાળા-કોલેજ બંધ


બિપોરજોય વાવાઝોડાની અસર દરિયા પર વધુ જોવા મળી રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.