હિંદુવાદી સરકારનો નિર્ણય, અંબાજીમાં ચિકીનો પ્રસાદ જ રહેશે, સરકાર ઇગો પર આવી?


  • Published By :
  • Published Date : 2023-03-12 17:41:21

ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા લોકો વિરોધ કરી રહ્યા છે. જો કે ગુજરાત સરકાર ઈગો પર આવી ગઈ છે. સમગ્ર રાજ્યમાં ચિકીના પ્રસાદનો વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં પણ સરકાર લોકોની લાગણીનો અનાદર કરી રહી છે. જીદ પર આવેલી રાજ્યની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે અંબાજીમાં મંદિરમાં માઈ ભક્તોને હવે મોહનથાળનો પ્રસાદ નહીં મળે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી છે. સરકારની આ ઘોષણા સાથે જ સમગ્ર રાજ્ય ઉપરાંત દેશ-વિદેશના શ્રધ્ધાળુંઓએ ભારે આઘાતની લાગણી અનુભવી છે.


હિંદુવાદી સરકારનો નિર્ણય 


રાજ્યની ભાજપની સરકાર આમ તો હિંદુત્વવાદી મનાય છે, જો  કે અંબાજી મંદિરમાં સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને વિશેષ આઘાત લાગ્યો છે. રાજ્ય સરકારે ચિકીના પ્રસાદનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હોવાનું ભલે કહ્યું હોય પણ મંદિર ટ્ર્સ્ટ સરકારથી ઉપરવટ જઇને કોઈ નિર્ણય કરી જ ન શકે. સરકારે પોતાનો નિર્ણય મંદિર  ટ્રસ્ટ પર થોપ્યો છે. 


કૉંગ્રેસે કર્યો હતો વિરોધ


અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે રાજ્યમાં સામાન્ય લોકોની સાથે-સાથે કૉંગ્રેસ પાર્ટી પણ જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં 10મી માર્ચે 116ની નોટિસ આપી હતી. સાથે જ ખાસ ચર્ચા કરવા માટેની વાત કરી હતી, જેમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા ન થતા ગુજરાત વિધાનસભા ગૃહમાં જ કૉંગ્રેસના ધારાસભ્યોએ ચિકીના પ્રસાદના વિરોધમાં મોહનથાળ લઈને વિધાનસભા ગૃહની અંદર જ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગૃહમાં મામલો વધુ બગડતા કૉંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.


VHPના અંબાજીમાં ધરણા


હિંદુવાદી સંગઠન વિશ્વ હિંદુ પરીષદે (VHP)એ પણ રાજ્ય સરકારના આ નિર્ણયના વિરોધમાં અંબાજીમાં ઘરણા-પ્રદર્શનો કર્યા હતા. VHPએ શનિવારે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગણી સાથે અંબાજીમાં ધરણા કર્યા હતા. ગુજરાત VHPના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે VHPના વિરોધમાં રાજ્ય સચિવ અશોક રાવલ અને નાયબ સચિવ અશ્વિન પટેલ સહિત લગભગ 300-400 લોકોએ ભાગ લીધો હતો.



હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે.

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?