હિંદુવાદી સરકારનો નિર્ણય, અંબાજીમાં ચિકીનો પ્રસાદ જ રહેશે, સરકાર ઇગો પર આવી?


  • Published By :
  • Published Date : 2023-03-12 17:41:21

ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા લોકો વિરોધ કરી રહ્યા છે. જો કે ગુજરાત સરકાર ઈગો પર આવી ગઈ છે. સમગ્ર રાજ્યમાં ચિકીના પ્રસાદનો વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં પણ સરકાર લોકોની લાગણીનો અનાદર કરી રહી છે. જીદ પર આવેલી રાજ્યની ભાજપ સરકારે જાહેરાત કરી છે કે અંબાજીમાં મંદિરમાં માઈ ભક્તોને હવે મોહનથાળનો પ્રસાદ નહીં મળે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગેની જાહેરાત કરી છે. સરકારની આ ઘોષણા સાથે જ સમગ્ર રાજ્ય ઉપરાંત દેશ-વિદેશના શ્રધ્ધાળુંઓએ ભારે આઘાતની લાગણી અનુભવી છે.


હિંદુવાદી સરકારનો નિર્ણય 


રાજ્યની ભાજપની સરકાર આમ તો હિંદુત્વવાદી મનાય છે, જો  કે અંબાજી મંદિરમાં સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને વિશેષ આઘાત લાગ્યો છે. રાજ્ય સરકારે ચિકીના પ્રસાદનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હોવાનું ભલે કહ્યું હોય પણ મંદિર ટ્ર્સ્ટ સરકારથી ઉપરવટ જઇને કોઈ નિર્ણય કરી જ ન શકે. સરકારે પોતાનો નિર્ણય મંદિર  ટ્રસ્ટ પર થોપ્યો છે. 


કૉંગ્રેસે કર્યો હતો વિરોધ


અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે રાજ્યમાં સામાન્ય લોકોની સાથે-સાથે કૉંગ્રેસ પાર્ટી પણ જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં 10મી માર્ચે 116ની નોટિસ આપી હતી. સાથે જ ખાસ ચર્ચા કરવા માટેની વાત કરી હતી, જેમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા ન થતા ગુજરાત વિધાનસભા ગૃહમાં જ કૉંગ્રેસના ધારાસભ્યોએ ચિકીના પ્રસાદના વિરોધમાં મોહનથાળ લઈને વિધાનસભા ગૃહની અંદર જ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગૃહમાં મામલો વધુ બગડતા કૉંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.


VHPના અંબાજીમાં ધરણા


હિંદુવાદી સંગઠન વિશ્વ હિંદુ પરીષદે (VHP)એ પણ રાજ્ય સરકારના આ નિર્ણયના વિરોધમાં અંબાજીમાં ઘરણા-પ્રદર્શનો કર્યા હતા. VHPએ શનિવારે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગણી સાથે અંબાજીમાં ધરણા કર્યા હતા. ગુજરાત VHPના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે VHPના વિરોધમાં રાજ્ય સચિવ અશોક રાવલ અને નાયબ સચિવ અશ્વિન પટેલ સહિત લગભગ 300-400 લોકોએ ભાગ લીધો હતો.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે