અંબાજી:આ બાળકોએ પીએમ મોદીને ગરબા સંભળાવ્યા:જુઓ વિડિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 10:50:31

પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે હતા જેમાં તે સુરત,ભાગવનર,અમદાવાદ,ગાંધીનગર,અંબાજી સહિત અનેક જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.અંબાજી ખાતે ભિક્ષુક બાળકો કે જેને શ્રી શક્તિ પરિવાર દ્વારા દતક લઈ શિક્ષા આપવામાં આવે છે એ બાળકોએ પીએમ મોદીને ગરબો સંભળાયો હતો.ભિખારીને રસ્તા પર જોઈને ચીતરી ચઢાવતા સમાજ એ નથી સમજતો કે આ બાળકો ને શોખ નથી હોતો આ કરવાનો, સંજોગોએ એમને ત્યાં પહોંચાડ્યા છે આપણે એમને સામાન્ય જીવન સુધી પહોંચાડવાના છે, જેમ કે અંબાજીના આ બાળકો જે ભિક્ષાવૃતિથી મુક્ત થઈને હવે દેશના પ્રધાનમંત્રી સામે ભજન ગાઈ રહ્યા છે જુઓ વિડિયો

વિધાનસભા 2022 ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓ ગુજરાત પ્રવાસે જોવા મળી રહ્યા છે ત્યારે પીએમ મોદી 29-30 સપ્ટેમ્બર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા જેમાં સુરત,ભાવનગર ખાતે રોડશો અને સભાસંબોધન કર્યું હતું.ત્યાર બાદ અમદાવાદ અનેક વિકાશલક્ષી કામોના લોકાર્પણ અને ખાખ મૂહરત કર્યા હતા.


બાળકોએ પોતાના સ્વરે પીએમ ને સુંદર ગરબો સંભળાવ્યો હતો 

ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે પીએમ અંબાજી પહોંચ્યા હતા જ્યાં પીએમએ મહા આરતીમાં ભાગ લીધો હતો ત્યાર બાદ જે ભિક્ષુક બાળકો હતા કે જેને શ્રી શક્તિ પરિવાર દ્વારા દતક લેવામાં આવ્યા છે અને શિક્ષા આપવામાં આવે છે એ બાળકોને પીએમ મળ્યા હતા અને એ બાળકોએ પોતાના સ્વરે પીએમ ને "હૈયામાં બાંધ્યો હિંચકો" ગરબો સંભળાવ્યો હતો.બાળકો જ્યારે ગરબો સાંભળવી રહ્યા હતા ત્યારે પીએમ મોદી પણ બાળકો સામે જોઈ પ્રભાવિત થઈ ગયા હતા 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.