Ambaji Mandir : ભાદરવી પૂનમના મેળામાં ઉમટી જન મેદની, આટલા લાખ ભક્તોએ કર્યા માતાજીના દર્શન, જુઓ ભક્તિના રંગે રંગાયેલા ભક્તોના વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-28 11:05:21

આવતી કાલે ભાદરવી પૂનમ છે. પૂનમને લઈ માઈ મંદિરોમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પૂનમ માતાજીને સમર્પિત હોય છે. આમ તો દરેક પૂનમનું મહત્વ વિશેષ હોય છે પરંતુ ભાદરવી પૂનમ તેમજ પોષી પૂનમનો મહિમા અનેરો હોય છે. ભાદરવી પૂનમ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. લાખોની જનમેદની શક્તિપીઠ અંબાજીમાં ઉમટી છે. પગપાળા અનેક માઈભક્તો અંબાજી પહોંચતા હોય છે. 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળામાં 30.50 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લઈ લીધી છે. અંબાજી તરફ જતા માર્ગ બોલ મારી અંબે જય જય અંબે.. ગરબાની રમઝટ પણ માઈ ભક્તો ચાચર ચોકમાં બોલાવી રહ્યા છે. અંબાજી મેળામાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લઈ લીધી છે.


પાંચ દિવસમાં 30.50 લાખ ભક્તોએ લીધી મુલાકાત

કહેવાય છે કે શ્રદ્ધાને પૂરાવાની જરૂર નથી હોતી. અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોની જનમેદની ઉમટતી હોય છે. શક્તિ પીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. 30.50 લાખ ભક્તોએ મંદિરની મુલાકાત લઈ લીધો છે. ત્યારે આવતી કાલે ભાદરવી પૂનમ છે. ભાદરવી પૂનમ સુધીમાં 40 લાખ જેટલા ભક્તો દર્શનાર્થે આવી શકે છે તેવું અનુમાન છે. 

ભક્તિના રંગમાં રંગાયું યાત્રાધામ અંબાજી 

રાજ્યના અલગ અલગ ખૂણેથી માઈ ભક્તો શક્તિપીઠ પહોંચી રહ્યા છે. કોઈ ધ્વજા લઈને મંદિરના પ્રાંગણ પહોંચી રહ્યા છે તો કોઈ ઘૂંટણના બળે ચાલી માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જય અંબેના નાદથી અંબાજી તરફ આવતા રસ્તાઓ ગુંજી રહ્યા છે. મંદિરનું પટાંગણ પણ ભક્તિના રંગમાં રંગાયું છે. આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. ભક્તો ભક્તિમાં તરબોળ દેખાયા છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે આંખો ભીની કરી દે તેવા છે.  



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..