Ambaji Mandir : ભાદરવી પૂનમના મેળામાં ઉમટી જન મેદની, આટલા લાખ ભક્તોએ કર્યા માતાજીના દર્શન, જુઓ ભક્તિના રંગે રંગાયેલા ભક્તોના વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-28 11:05:21

આવતી કાલે ભાદરવી પૂનમ છે. પૂનમને લઈ માઈ મંદિરોમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પૂનમ માતાજીને સમર્પિત હોય છે. આમ તો દરેક પૂનમનું મહત્વ વિશેષ હોય છે પરંતુ ભાદરવી પૂનમ તેમજ પોષી પૂનમનો મહિમા અનેરો હોય છે. ભાદરવી પૂનમ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. લાખોની જનમેદની શક્તિપીઠ અંબાજીમાં ઉમટી છે. પગપાળા અનેક માઈભક્તો અંબાજી પહોંચતા હોય છે. 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળામાં 30.50 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લઈ લીધી છે. અંબાજી તરફ જતા માર્ગ બોલ મારી અંબે જય જય અંબે.. ગરબાની રમઝટ પણ માઈ ભક્તો ચાચર ચોકમાં બોલાવી રહ્યા છે. અંબાજી મેળામાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લઈ લીધી છે.


પાંચ દિવસમાં 30.50 લાખ ભક્તોએ લીધી મુલાકાત

કહેવાય છે કે શ્રદ્ધાને પૂરાવાની જરૂર નથી હોતી. અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોની જનમેદની ઉમટતી હોય છે. શક્તિ પીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. 30.50 લાખ ભક્તોએ મંદિરની મુલાકાત લઈ લીધો છે. ત્યારે આવતી કાલે ભાદરવી પૂનમ છે. ભાદરવી પૂનમ સુધીમાં 40 લાખ જેટલા ભક્તો દર્શનાર્થે આવી શકે છે તેવું અનુમાન છે. 

ભક્તિના રંગમાં રંગાયું યાત્રાધામ અંબાજી 

રાજ્યના અલગ અલગ ખૂણેથી માઈ ભક્તો શક્તિપીઠ પહોંચી રહ્યા છે. કોઈ ધ્વજા લઈને મંદિરના પ્રાંગણ પહોંચી રહ્યા છે તો કોઈ ઘૂંટણના બળે ચાલી માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જય અંબેના નાદથી અંબાજી તરફ આવતા રસ્તાઓ ગુંજી રહ્યા છે. મંદિરનું પટાંગણ પણ ભક્તિના રંગમાં રંગાયું છે. આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. ભક્તો ભક્તિમાં તરબોળ દેખાયા છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે આંખો ભીની કરી દે તેવા છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!