વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન કરશે 18 હજારથી વધુ કર્મચારીઓની છટણી


  • Published By :
  • Published Date : 2023-01-05 12:55:44

2023નું નવું વર્ષ સમગ્ર વિશ્વ માટે પડકારજનક બની રહેશે તેવું દુનિયાભરના અર્થશાસ્ત્રિઓનું અનુમાન છે. વિશ્વના અનેક દેશો ભયાનક મંદીની ઝપેટમાં આવી  જશે તથા અગ્રણી કંપનીઓ પણ નાદારીની સ્થિતીમાં મુકાશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. આ સ્થિતીમાં અમેરિકા અને  યુરોપની જાયન્ટ કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે છટણીનો રસ્તો અપનાવ્યો છે. એમેઝોને તેના 18 હજારથી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે.


એમેઝોન કરશે 18 હજાર કર્મચારીઓની છટણી


વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન તેના  18 હજારથી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. અમેઝોનના સીઈઓ એન્ડી જેસ્સીએ બુધવારે સ્ટાફને મોકલેલા મેમોમાં કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. 


શા માટે કર્મચારીઓની છટણી?


વિશ્વની અન્ય ટેક કંપનીઓની જેમ એમેઝોન પણ આર્થિક મંદીનો સામનો કરી રહી છે. બીજી તરફ સિલિકોન વેલીની અન્ય સ્પર્ધક કંપનીઓની  તુલનામાં એમેઝોનમાં સ્ટાફની સંખ્યા વધુ છે. ગત સપ્ટેમ્બરથી અંત સુધી કર્મચારીઓની સંખ્યા 15 લાખથી વધુ હતી. આ રીતે એમેઝોન તેના વર્કફોર્સની તુલનામાં લગભગ 1 ટકા છે.


ઈ-કોમર્સ કંપનીમાં સૌથી મોટી છટણી હશે? 


એમેઝોન અગે થોડા સમય પહેલા જાહેર થયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કંપની 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. પરંતુ આ વખતે જે આંકડો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. 18,000 કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવવી પડી શકે છે, એટલે કે કંપની 70 ટકા નોકરીઓ કાપવાની યોજના બનાવી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ કેટલીક વધારાની છટણી પણ કરવામાં આવશે જેમાં એમેઝોન કોર્પોરેટ રેન્કના લોકો સામેલ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે. એવું માનવામા આવી રહ્યું છે કે એમેઝોનની આ છટણી કોઈ પણ ઈ-કોમર્સ કંપનીમાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે. 


એમેઝોનનો શેર 2 ટકા વધ્યો


એમેઝોને કર્મચારીઓની છટણીની જાહેરાત કરતા  જ ઈન્વેસ્ટર્સએ કંપનીના આ પગલાને વધાવી લીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા આ સમાચાર બહાર આવ્યા બાદ તરત જ શેર લગભગ 2 ટકા મજબુત થયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.