એમેઝોનના માલિક જેફ બેઝોસે લોકોને ટીવી, ફ્રિઝ અને કાર ન ખરીદવા આપી સલાહ જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-18 21:18:28


દુનિયામાં આર્થિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હજુ પણ કેટલાક નિષ્ણાતો આર્થિક મહામંદીની સંભાવનાનો ઈન્કાર કરી રહ્યા છે. જો કે હવે વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે લોકોને અપીલ કરી છે કે વિશ્વમાં મંદી આવશે અને તે માટે લોકોએ તેમની પાસે પૈસા બચાવીને રાખવા જોઈએ. તેમણે તે પણ કહ્યું કે લોકો ટીવી-ફ્રિજ ખરીદવાની જગ્યાએ આર્થિંક મંદીનો સામનો કરવા માટે રોકડ રકમ બચાવીને રાખે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસે લોકોને ખર્ચ ઘટાડવા અને બચત વધારવાની સલાહ આપી દીધી છે. 


જેફ બેઝોસે લોકોને શું અપીલ કરી?


જેફ બેઝોસે લોકોને આગામી તહેવારોની સીઝનમાં રોકડ બચાવવા અને બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ ન કરવા જણાવ્યું છે. અમેરિકા-યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીના જોખમો દેખાઈ રહ્યા છે. આ કારણથી અબજોપતિ ઉદ્યોગપતિ જેફ બેઝોસે લોકોને આ સલાહ આપી છે.


તેમણે કહ્યું છે કે અમેરિકા સહિત વિશ્વભરના લોકોએ આવનારા સમયમાં મોટી ખરીદી ન કરવી જોઈએ. તમે નવું ફ્રિજ-ટીવી કે કાર ખરીદવા જેવી બાબતો મુલતવી રાખીને પૈસા બચાવી શકો છો. આર્થિક મંદીના મુશ્કેલ સમયમાં આ પૈસા તમારા માટે ઉપયોગી થશે.


જેફ બેઝોસે કહ્યું, "જો તમે એકલા રહો છો અને તમે મોટા સ્ક્રીન ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમયે તમારે રાહ જોવાની જરૂર છે. આર્થિક મંદીના જોખમોને ધ્યાનમાં રાખીને, તમારે પૈસા બચાવવા જોઈએ અને આવનારા મુશ્કેલ સમય માટે. "તૈયાર રહેવું પડશે."



અમેરિકા પર તોળાઈ રહી છે મંદી


અમેરિકામાં આર્થિક મંદીની સમાચાર ઘણા દિવસોથી ચાલી રહ્યા છે. જો દેશનો જીડીપી ગ્રોથ રેટ સતત બે મહિના સુધી નેગેટિવ નોંધાય તો તે ટેકનિકલ રીતે મંદી મનાય છે. અમેરિકાનું અર્થતંત્ર છેલ્લા ત્રણ મહિનાથી નેગેટીવ ગ્રોથ રેટ નોંધાવી રહી છે. આ કારણે જ નિષ્ણાતોનું કહેનું છે કે અમેરિકામાં આર્થિક મંદીની શરૂઆત થઈ ચુકી છે. એમેઝોનના સ્થાપકે નાના ઉદ્યોગપતિઓએ પણ બિઝનેશનો વિસ્તાર નહીં કરવો જોઈએ. ધંધો વધારવા કરતા MSMEએ રોકડ પોતાની પાસે રાખવી જોઈએ. તેમણે તેમ પણ કહ્યું કે ઉદ્યોગપતિઓએ જેટલું બની શકે તેટલું જોખમ ટાળવું જોઈએ. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.