બમ બમ ભોલેના નાદથી Amarnath yatraનો થયો પ્રારંભ, દર્શન માટે ગયેલા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-29 13:06:17

અમરનાથ યાત્રા કરવાની ઈચ્છા અનેક ભક્તોને હોય છે.. ભક્તો માનતા હોય છે કે જીવનમાં એક વાર તો અમરનાથ યાત્રા કરવી જોઈએ.. અમરનાથની યાત્રા એટલી સરળ નથી હોતી જેટલું આપણે માનતા હોઈએ છીએ.. અનેક ભક્તો માનતા હોય છે કે બરફાની બાબાની ઈચ્છા હશે તો જ આપણે તેમના દર્શન કરી શકીશું. આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રાની શરૂઆત આજથી થઈ ગઈ છે. વહેલી સવારે મનોજ સિન્હાએ શ્રદ્ધાળુઓના પહેલા બેચને રવાના કરી હતી. બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે.    

ગુફા સુધી પહોંચવાના છે બે માર્ગ

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે અમરનાથ યાત્રા શરૂ થઈ તે પહેલા અનેક આતંકી હુમલા થવાની ઘટના સામે આવી છે. જેને કારણે આ વર્ષે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રદ્ધાળુઓ બાબા બરફાનીની ગુફા જવા માટે રવાના થઈ રહ્યા છે. યાત્રાની શરૂઆત બાલટાલ તેમજ પહેલગામથી થતી હોય છે. 

શ્રદ્ધાળુઓનો પહેલો સમૂહ થયો રવાના

ગુફા સુધી પહોંચવા માટે ભક્તોએ લાંબો સફર કાપવો પડતો હોય છે. ખૂબ ઉંચાઈ પર બાબા બર્ફાનીની ગુફા આવેલી છે.. એવી માહિતી સામે આવી છે કે શિવલીંગના દર્શન કરવા માટે ચાર હજારથી વધુ તીર્થયાત્રીઓનો પહેલો સમૂહ રવાના કરવામાં આવ્યો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ગયેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ સ્થળોએથી દર્શન કરવા માટે ભક્તો જમ્મુ કાશ્મીર પહોંચી રહ્યા છે. 

19 ઓગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા 

આજથી શરૂ થયેલી અમરનાથની યાત્રા 52 દિવસ સુધી ચાલશે. 19 ઓગસ્ટ 2024ના રોજ આ યાત્રા પૂર્ણ થશે.. મહત્વનું છે કે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે.. આ યાત્રા કરવા માટે Physically Fit હોવું જરૂરી છે. Medical Certificate જરૂરી છે સાથે સાથે અનેક એવા નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે.    



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..