ઝુકેગા નહીં કહીને નીકળેલા અમરાભાઈ ઝુકી તો ગયા, ખેડૂત નેતા અમરાભાઈ ચૌધરીએ CM સાથે શું વાત કરી? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-16 18:42:46

દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થકના બે લાફાંથી શરૂ થયેલી અમરાભાઇ ચૌધરીની ન્યાય યાત્રા ગાંધીનગરમાં વિરામ પામી છે. બનાસકાંઠાથી નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાનો આજે સાતમો દિવસ છે.  અમરાભાઇ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા રવાના થયા હતા. સાતમા દિવસે ન્યાય યાત્રા મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી હતી. જોકે ગોઝારીયા ખાતે મહેસાણા જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવામા આવતા તમામ ખેડૂતોને અહીથી આગળ ન વધવા દેવાના આદેશ અપાયા હોવાથી યાત્રાને રોકવામાં આવી હતી.


અમરાભાઈને CMનું તેડું  


અમરાભાઈ ચૌધરીના નેતૃત્વમાં નિકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાને ગોઝારીયા ખાતે રોકવામાં આવ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓ મધ્યસ્થી બનીને અમરાભાઈ સહિત તમામ ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઈ ગઈ હતી. આ ખેડૂત આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જમાવટે જ્યારે આ મુલાકાત અંગે અમરાભાઈને પુછ્યું તો તેમણે કહ્યું કે સમાધાન થઈ ગયું છે. જો કે મૂળ મુદ્દો કેશાજી ચૌહાણના રાજીનામા બાબતે તેઓ મુખ્યમંત્રી સંમત થયા નથી. તે જ રીતે અમરાભાઈએ તેમનું આંદોલન હાલ પુરતું પુરૂ થયું હોવાનું પણ જણાવ્યું હતું. જો કે અમરાભાઈએ તે પણ કહ્યું હતું કે જો તેમની માગણીઓ સંતોષાશે નહીં તો તે ફરી આંદોલન કરશે તેવી પણ ચિમકી આપી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.