AAP- Congress છોટાઉદેપુરમાં પણ એક, રાધિકા રાઠવાએ કહ્યું કે ભરૂચ-ભાવનગર આપ તો બાકીમાં કૉંગ્રેસ જીતાડીશું!


  • Published By :
  • Published Date : 2024-03-09 11:50:02

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે.  આજે ભરૂચ લોકસભા વિસ્તારમાં આ યાત્રાનો પ્રવેશ થવાનો છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસે ગઠબંધન કર્યું છે જેને કારણે રાહુલ ગાંધીની આ યાત્રામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ તો હોય છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ જ પણ સામેલ હોય છે ગઠબંધન થવાને કારણે. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અને આપ ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા. ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર છે ચૈતર વસાવા આજે યાત્રામાં સામેલ થઈ શકે છે. આ યાત્રામાં રાધિકા રાઠવા પણ જોવા મળ્યા હતા. 

આજે ભરૂચની સરહદમાં ભારત જોડો ન્યાય યાત્રાનો થશે પ્રવેશ 

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. શનિવારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી અને ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં રાહુલ ગાંધીની આ યાત્રા ચાલી છે તો બીજી તરફ ગુજરાતની એક પણ બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. છોટાઉદેપુર માટે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ ભાજપ દ્વારા ભરૂચ લોકસભા બેઠક માટે મનસુખ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે જ્યારે આ ભારત જોડો ન્યાય યાત્રા ભરૂચ પહોંચશે ત્યારે ચૈતર વસાવા પણ સામેલ થઈ શકે છે.


યાત્રામાં દેખાઈ રહ્યા છે આપના કાર્યકર્તાઓ, નેતાઓ

ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવાની છે. ગુજરાત માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવા ઉમેદવારી નોંધાવી રહ્યા છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેશ મકવાણા દાવેદારી નોંધાવી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ ગયું છે અને રાહુલ ગાંધીની આ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ પણ દેખાયા હતા. ગુજરાતમાં જ્યારે આ યાત્રાનો પ્રવેશ થયો ત્યારે આપના ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયાએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું,     



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.