એક સમયે ભાજપ વિરુદ્ધ બોલનાર અલ્પેશ ઠાકોરે ભાજપ માટે આપ્યું નિવેદન, કહ્યું ભાજપને આ ચૂંટણીમાં 150 સીટ મળશે


  • Published By :
  • Published Date : 2022-11-17 12:31:27

ગુજરાતમાં ચૂંટણી રંગ બરાબરનો જામ્યો છે. ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી અને નેતાઓ એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને લઈ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અલ્પેશે કહ્યું કે કોંગ્રેસે વર્ચસ્વ ગુમાવી દીધું છે અને એક પણ નેતા પાસે જનસમર્થન નથી. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150થી વધુ સીટો આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

  

કોંગ્રેસે વર્ચસ્વ ગુમાવી દીધું છે - અલ્પેશ

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના નિવેદનથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસને લઈ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ વર્ચસ્વ ગુમાવી દીધું છે. તેમણે કહ્યું કે ગુજરાતની ચૂંટણી અમારા માટે કોઈ પડકાર નથી. અહીં કમળ ભૂતકાળમાં જીત્યો છે અને ભવિષ્યમાં પણ જીતશે. ભાજપ 150 સીટ જીતી સરકાર બનાવશે. કોંગ્રેસનો રાજ્યમાં કોઈ આધાર નથી, તેમના નેતાઓ એકબીજા સાથે લડી રહ્યા છે અને હાર માની ગયા છે.

લ્યો કરો વાત, મેઘાલયમાં કોંગ્રેસ અને ભાજપ એક જ ગઠબંધનમાં જોડાયા | In  Meghalaya Congress and BJP have joined in equal front

એક સમયે ભાજપનો વિરોધ કરનાર આજે કરે છે ભાજપના ગુણગાન

ત્યારે એક પ્રશ્ન અવશ્ય પૂછવાની ઈચ્છા થાય કે ભાજપમાં એવો કયો પારસમણી છે કે ભાજપમાં જોડાયા બાદ ભાજપનો પ્રચાર કરવામાં વ્યસ્ત થઈ જાય છે. એક સમયે જે સરકારનો અને સરકારની નીતિનો વિરોધ કરતા હોય તે જ લોકો ભાજપમાં જોડાયા પછી ભાજપના ગુણગાન ગાય છે. આ સવાલ માત્ર અલ્પેશ ઠાકોર માટેનો સવાલ નથી પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા દરેક નેતાઓ માટે છે.

Ganiben Thakor is misusing Thakor youth for his own political interests: Alpesh  Thakor

ભાજપ પ્રત્યેનો પ્રેમ અનેક વખત છલકાઈ જાય છે

જે નેતાઓને ભાજપમાં ખામી જ ખામી દેખાતી હતી પરંતુ ભાજપમાં જોડાયા બાદ પાર્ટીનો એક પણ દુર્ગુણ નથી દેખાતા. કોંગ્રેસને અલવિદા કહી અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમાંથી એક નામ હતું અલ્પેશ ઠાકોર. એક સમયે ભાજપ વિરોધમાં આંદોલન કરનાર અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાયા બાદ ભાજપ પ્રત્યે તેમનો પ્રેમ અનેક વખત સામે આવતો રહે છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.