અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી, રાધનપુરમાં નાગરજી ઠાકોર અને લવિંગજી ઠાકોરનું શક્તિ પ્રદર્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 15:17:46

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપના સ્થાનિક નેતાઓ ટિકિટ માટે લોબીંગ કરી રહ્યા છે. પાટણ જિલ્લામાં પણ રાજકીય ઉથલ પાથળ થાય એવા એંધાણ જણાઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપમાં જ સ્થાનિક આગેવાનોમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. રાધનપુર બેઠક માટે ટિકિટ લેવા મુદ્દે સ્થાનિક નેતાઓ અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. 


બે દિગ્ગજ ઠાકોર નેતાઓએ ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું


રાધનપુર વિધાનસભા બેઠક માટે સી.આર.પાટીલે અલ્પેશ ઠાકોરને અભિનંદન આપ્યા ત્યારથી ભાજપના સ્થાનિક નેતાઓમાં અસંતોષ વધ્યો છે. ચૂંટણી પહેલા રાધનપુર વિધાનસભામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ સ્થાનિક આગેવાનોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના બે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આજે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં 'જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક'ના  સુત્રોચ્ચાર સાથે સમીના રણાવાડા ગામે રાધનપુર વિધાનસભાની અઢારે આલમનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર, ચૌધરી, માલધારી, આહિર સમાજના લોકો હાજર રહ્યા હતા.


મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરના વિરોધમાં સુત્રોચ્ચાર


સમીના રણાવાડા ગામે યોજાયેલા મહાસંમેલનમાં મોટી સખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ સંમેલનમાં ભાજપમાંથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે એવી માંગ ઉઠી હતી.  હાલ એવી અટકળો ચાલી રહી છે કે, રાધનપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે. રાધનપુરના બે પૂર્વ ધારાસભ્ય સહિત અઢારે આલમ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ હોવાના સૂર આ વિસ્તારમાં ઉઠવા પામ્યો છે. ભાજપના નેતા નાગરજી ઠાકોર-લવિંગજી ઠાકોર  જૂથ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે જો ભાજપ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપશે તો સ્થાનિક નેતાઓ પાર્ટી વિરોધી પ્રવૃતિ કરશે જેથી ચૂંટણીમાં ભાજપને ફટકો પડશે તેવુ માનવામાં આવી રહ્યું છે.




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.