રાધનપુરમાં બે ઠાકોર નેતાઓ વચ્ચેનો ખટરાગ મંચ પર જોવા મળ્યો, લવિંગજીએ અલ્પેશની અવગણના કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 14:38:55

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણીયોની ટિકિટ માટેની ખેંચતાણ વધી ગઈ છે. રાધનપુર વિધાનસભાની બેઠક માટે ભાજપના બે ઠાકોર નેતાઓ અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર દાવો કરી રહ્યા છે. બંને નેતાઓ પાટણના વારાહી ખાતે એક મંચ પર એક સાથે જોવા મળ્યા.


બંને ઠાકોર નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પાટણના વારાહી ખાતે પહોંચી હતી. વારાહી ખાતે પહોંચેલ ગૌરવ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. લવિંગજી ઠાકોરને મનાવવા અલ્પેશ ઠાકોર હવાતિયાં મારતા નજરે પડ્યા હતા. અલ્પેશ ઠાકોરે મોકો જોઈ  મંચ પર લવિંગજી ઠાકોરને હાર પહેરાવ્યો હતો. તેમ છતાં લવિંગજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને બહુ ભાવ આપ્યો ન હતો. સ્ટેજ પર ભાષણ કરી રહેલા લવિંગજીને પોતાના નામની જાહેરાત કરવા માટે અલ્પેશ ઠાકોરે અનેક ઈશારા કર્યા હતા જો કે લવિંગજીએ તેની સતત અવગણના કરતા અલ્પેશ ઠાકોર લાચાર પડ્યા હતા. 


આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો વિરોધ

રાધનપુર વિધાનસભા સીટ પર લવિંગજી ઠાકોર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર એક મંચ પર જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. બંને ઠાકોર નેતાઓ વચ્ચે સમાધાન થઈ ગયું હોય તેવું માનવામાં આવતું હતું પણ લવિંગજી ઠાકોરે તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી અલ્પેશ ઠાકોરની અવગણના કરવાનું ચાલું જ રાખ્યું હોય તેવું સ્ટેજ પર સ્પષ્ટ જોવા મળ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.