ટિકિટ ફાળવણી અંગે અલ્પેશ ઠાકોરે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-08 11:27:28

ગુજરાત વિધાનસભા ઈલેક્શનની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. કયા ઉમેદવારને ટિકિટ આપવી તે માટે મુખ્યમંત્રી અને સી.આર પાટીલ દિલ્હી પહોંચ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા દરેક સમાજ મિટીંગ બોલાવી રહી છે. ક્ષત્રિય સમાજે પણ ચૂંટણી પૂર્વે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. જ્યાં અલ્પેશ ઠાકોરે ટિકિટ ફાળવણીને લઈ નિવેદન આપ્યું છે. જો પાર્ટી મને ટિકિટ નહીં આપે તો પણ હું અને મારી સેના ભાજપને જીતાડવા પ્રયત્ન કરીશું. 


સ્નેહ મિલન કાર્યક્રમનું કરાયું આયોજન 

ભાજપ ગમે ત્યારે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ટિકિટ માટે અનેક સમાજ માગણી કરી રહી છે. વિવિધ સમાજ દ્વારા રાજકીય પક્ષોને દબાણ કરવામાં આવી રહ્યું છે. મહેસાણા ખાતે ઠાકોર સમાજે એક મિટીંગનું આયોજન કર્યું હતું. 


પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશું - અલ્પેશ ઠાકોર

જેમાં રાધનપુર બેઠકની ટિકિટ માટે અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો પક્ષ મને ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ.અને જો પક્ષ મને ટિકિટ નહીં આપે તો પણ જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેને  હું અને મારા સમર્થકો પાર્ટીને સમર્થન આપીશું. રાધનપુરમાં ભાજપની જીત થશે તેવી આશા અલ્પેશ ઠાકોરે વ્યક્ત કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.