ભાજપની ગૌરવયાત્રા બનાસકાંઠામાં પ્રવેશી, અલ્પેશ ઠાકોર અને શંકરભાઈ ચૌધરી પણ જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 12:55:00

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે નિકળેલી ભાજપની ગૌરવ યાત્રામાં પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. જેમ કે આજે છાપી ગામથી ગુજરાત ગૌરાવ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. તે બનાસકાંઠાના વિધાનસભા મત વિસ્તારને આવરી લેવા માટે સતત ભ્રમણ કરશે. જેમાં ભાજપના આગેવાનો અને દિગ્ગજ નેતાઓ પણ જોડાઈ રહ્યા છે. આ ગૌરવ યાત્રામાં જોડાવા માટે અલ્પેશ ઠાકોર અને શંકરભાઈ ચૌધરી પણ પહોંચી ગયા છે. 


બનાસકાંઠાના છાપીથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ


ચૂટણી પહેલા ભાજપના નેતાઓ ગુજરાત ગૌરવ યાત્રાના માધ્યમથી સરકારના વિકાસ કાર્યોનો પ્રચાર કરી રહ્યા છે. ભાજપના અર્ગણી નેતા અને જિલ્લા અધ્યક્ષ ગુમાન સિંહ ચૌહાણે કહ્યું હતું કે ભાજપ સરકારે સતત લોકોના હિતમાં કામ કર્યું છે. જનકલ્યાણ હેતુ નક્કર પોલીસી બનાવવાથી લઈ કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહેવાનું કામ પણ ભાજપ સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં મહિલા સશક્તિકરણ અને ગરીબ કલ્યાણના મુદ્દે પણ વિકાસ થવા જઈ રહ્યો છે. જેથી આ વિધાનસભા ચૂંટણીમાં પ્રજાને ભાજપ પર ભરોસો છે અને જંગી બહુમતીથી જીત મળવાની સાથે ભાજપ આગામી સમયમાં વિકાસલક્ષી કાર્યો વેગવંતા બનાવે એવા એંધાણ પણ જણાઈ રહ્યા છે. જો કે ભાજપના આ ચૂંટણીલક્ષી ગૌરવ યાત્રાને બનાસકાંઠાના લોકો કેટલી આવકારી છે તે તો ચૂંટણી પરિણામ પછી જ જાણી શકાશે.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.