અલ્પેશના માતાના ઘૂંટણની સારવાર આયુષ્યમાન કાર્ડથી કરી, રેવડી મુદ્દે BJPના કાનાણીનો પલટવાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-25 19:13:09

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરાછા બેઠક પર જામેલા જંગમાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ AAP પર નામ લીધા વિના પ્રહાર કર્યો હતો. એટલું જ નહીં તેમણે કટાક્ષ કરતા AAPના ઉમેદવાર અલ્પેશ કથિરિયાનું નામ લીધા વિના રેવડીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જે લોકો ભાજપે શું કર્યું, ફ્રી મફતની વાત કરે છે તેમને કહી દઉં તમારા બાં (માતા)ના ઘૂંટણની સારવાર પણ ભાજપના આયુષ્યમાન કાર્ડથી થઈ છે.


વિકાસ , રેવડી મુદ્દે રાજકારણ !!

આ ચૂંટણીમાં AAP દ્વારા અલગ અલગ ગેરંટી આપવામાં આવી છે . મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને આકર્ષિત કરવાનો પ્લાન બનાવ્યો છે. ત્યારે ભાજપે પણ પોતાના કાર્યોની ગણતરી આપી દીધી છે. કુમાર કાનાણીએ આયુષ્યમાન કાર્ડથી હજારો પરિવારને રાહત ભાજપ સરકારે આપી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને આમ આદમી પાર્ટી અને તેમના ઉમેદવાર સામે વાઈરલ થયેલા વીડિયોથી અત્યારે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.