Alpesh Kathiriya, ધાર્મિક માલવિયા BJPમાં જોડાશે, આ મુદ્દે Gopal Italiaએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આટલી મજબૂરી કેમ છે ભાજપની કે...?


  • Published By :
  • Published Date : 2024-04-26 17:41:35

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આવા ભરતી મેળાઓ રોજે જોવા મળે તો નવાઈ નહીં... ત્યારે આવતી કાલે આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા કેસરિયો ધારણ કરવાના છે... સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાવાના છે.. ત્યારે આ મામલે જમાવટની ટીમે આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમાં તેમણે ભાજપ અને અલ્પેશ કથિરીયા વિશે વાત કરી હતી.    

અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા જાડાશે ભાજપમાં 

એક તરફ લોકસભા ચૂંટણી નજીક છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. એક બાદ એક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે... થોડા સમયની અંદર ભાજપમાં અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા છે.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ત્યારે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના બે નેતાઓએ અચાનક રાજીનામું આપી દીધું. એ હતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા.. ત્યારે આપના નેતા ગોપાલ ઈટાલિયાની સાથે જમાવટની ટીમે વાત કરી હતી.  

        


ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

જે અલ્પેશ કથિરીયા પર દેશ દ્રોહનો આરોપ લગાવ્યો હતો તે જ અલ્પેશ કથિરીયાને લેવો પડે.. ક્યાં ગયા સિદ્ધાંતો? આ જ અલ્પેશ કથિરીયા ઉપર કોથળા ભરી ભરીને  ભાજપે આરોપ લગાવ્યા છે, કે આવા છે, તેવા છે.. સમાજ સાથે આમ કરી નાખ્યુંને તેમ કરી નાખ્યું.. હવે કેમ ભાજપને સારા લાગવા લાગ્યા છે? વાતચીત દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા...  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.