જો ભાજપ આ શરતોનો સ્વીકાર કરશે તો અલ્પેશ કથીરિયા જોડાશે ભાજપમાં - લલિત વસોયાનો દાવો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:45:46

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નથી આવી રહી છે તેમ તેમ પક્ષપલટો કરનાર નેતાઓની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. પક્ષપલટાની સિઝન ચાલી રહી છે. ત્યારે PAAS કન્વીનર ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આવી હવાને વધારે વેગ લલિત વસોયાની વાતથી મળ્યો છે. ધારાસભ્ય લલિત વસોયાએ વાત કરી છે કે, અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાવાના છે. લલિત વસોયા માટે પણ અનેક ચર્ચામાં રહેતા હોય છે જેમાં તેઓ ભાજપમાં જોડાવાના છે તે વાત કરવામાં આવતી હોય છે.

૩૩ દિવસ ભૂગર્ભમાં રહેલા પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા લગ્ન પ્રસંગમાં પોલીસના  હાથે ઝડપાયો

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આપ્યા સંકેત

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે મને મીડિયાના માધ્યમથી આ બાબતની જાણ થયા બાદ મેં અલ્પેશ સાથે ટેલિફોન પર વાત કરી હતી. પોતાની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હજુ સુધી અલ્પેશ કથીરિયા રાજકારણના માણસ નથી.તેઓ સમાજના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે. અલ્પેશ પોતાના હિતને બાજુ પર રાખીને સમાજને સાથે રાખીને ચાલશે. તેમણે કહ્યું કે જો ભાજપ સરકાર તેમની બે માગ સ્વીકારશે તો તેઓ ભાજપમાં જોડાવાનો વિચાર કરશે. 

कांग्रेस विधायक ललित वसोया ने जल समाधि लेने का किया था ऐलान - Congress MLA Lalit  Vasoya announced to take water samadhi


જો ભાજપ શરતોનો સ્વીકાર કરશે તો અલ્પેશ ધારણ કરશે કેસરિયો 

અલ્પેશ કથીરિયાએ ભાજપ પાર્ટી સામે બે શરત મુકી છે. એક શરત એવી છે કે જેમાં અનામતના આંદોલન સમયે પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પરત ખેંચવા તેમજ આ લડાઈમાં જે 14 યુવાનોએ જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારને ન્યાયની માગ મુખ્ય છે. જો સરકાર આ માગને સ્વીકારશે તો તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તેમના કહેવા પ્રમાણે સમાજનું હિત તેમના માટે સર્વોપરી છે તેથી પહેલા સમાજનું કામ થશે પછી જ હું કંઈ પણ નિર્ણય લઈશ. ત્યારે શું અલ્પેશ કથીરિયા સાચે ભાજપમાં જોડાઈ રહ્યા છે તે એક પ્રશ્ન છે. 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.