જો ભાજપ આ શરતોનો સ્વીકાર કરશે તો અલ્પેશ કથીરિયા જોડાશે ભાજપમાં - લલિત વસોયાનો દાવો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:45:46

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નથી આવી રહી છે તેમ તેમ પક્ષપલટો કરનાર નેતાઓની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. પક્ષપલટાની સિઝન ચાલી રહી છે. ત્યારે PAAS કન્વીનર ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આવી હવાને વધારે વેગ લલિત વસોયાની વાતથી મળ્યો છે. ધારાસભ્ય લલિત વસોયાએ વાત કરી છે કે, અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાવાના છે. લલિત વસોયા માટે પણ અનેક ચર્ચામાં રહેતા હોય છે જેમાં તેઓ ભાજપમાં જોડાવાના છે તે વાત કરવામાં આવતી હોય છે.

૩૩ દિવસ ભૂગર્ભમાં રહેલા પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા લગ્ન પ્રસંગમાં પોલીસના  હાથે ઝડપાયો

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આપ્યા સંકેત

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે મને મીડિયાના માધ્યમથી આ બાબતની જાણ થયા બાદ મેં અલ્પેશ સાથે ટેલિફોન પર વાત કરી હતી. પોતાની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હજુ સુધી અલ્પેશ કથીરિયા રાજકારણના માણસ નથી.તેઓ સમાજના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે. અલ્પેશ પોતાના હિતને બાજુ પર રાખીને સમાજને સાથે રાખીને ચાલશે. તેમણે કહ્યું કે જો ભાજપ સરકાર તેમની બે માગ સ્વીકારશે તો તેઓ ભાજપમાં જોડાવાનો વિચાર કરશે. 

कांग्रेस विधायक ललित वसोया ने जल समाधि लेने का किया था ऐलान - Congress MLA Lalit  Vasoya announced to take water samadhi


જો ભાજપ શરતોનો સ્વીકાર કરશે તો અલ્પેશ ધારણ કરશે કેસરિયો 

અલ્પેશ કથીરિયાએ ભાજપ પાર્ટી સામે બે શરત મુકી છે. એક શરત એવી છે કે જેમાં અનામતના આંદોલન સમયે પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પરત ખેંચવા તેમજ આ લડાઈમાં જે 14 યુવાનોએ જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારને ન્યાયની માગ મુખ્ય છે. જો સરકાર આ માગને સ્વીકારશે તો તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તેમના કહેવા પ્રમાણે સમાજનું હિત તેમના માટે સર્વોપરી છે તેથી પહેલા સમાજનું કામ થશે પછી જ હું કંઈ પણ નિર્ણય લઈશ. ત્યારે શું અલ્પેશ કથીરિયા સાચે ભાજપમાં જોડાઈ રહ્યા છે તે એક પ્રશ્ન છે. 




Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .