થોડા દિવસો પહેલા AAPમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા આવતી કાલે જોડાઈ શકે છે ભાજપમાં...


  • Published By :
  • Published Date : 2024-04-26 12:36:41

થોડા દિવસ પહેલા આપના બે નેતાઓએ એક સાથે રાજીનામું આપ્યું હતું. એક હતા અલ્પેશ કથીરિયા અને બીજા હતા ધાર્મિક માલવીયા. તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી હતી ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ આવતી કાલે ભાજપમાં સામેલ થઈ  શકે છે. સી.આર.પાટીલની હાજરીમાં બંને નેતાઓ કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે....  


 

અનેક રાજનેતાઓ આપી રહ્યા છે પાર્ટીમાંથી રાજીનામું

જ્યારે કોઈ નેતા પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે એ જોવાનું રહ્યું કે તેઓ ભાજપમાં ક્યારે જોડાય છે... આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ જતા હોય છે.. રાજ્યમાં પક્ષપલટાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અનેક નેતાઓ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ રહ્યા છે.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. 



વિધાનસભાની આ બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી 

ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે પાસના બે નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતી કાલે કેસરિયો ધારણ કરી શકે છે..... મહત્વનું છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત માહોલ બનાવ્યો હતો, અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા સુરતની હાઈ પ્રોફાઈલ બેઠકો પર પોતાના સમાજના સહારે ચૂંટણી પણ લડ્યા હતા, વરાછા બેઠક પર કથિરીયાનો જંગ ગુજરાત સરકારમાં જે તે સમયના મંત્રી અને પાટીદાર નેતા કુમાર કાનાણી સામે થયો હતો જો કે વરાછા બેઠક કથીરીયા જીતી ના શક્યા અને હાર પછી અલ્પેશ કથિરીયાને સંગઠનમાં મોટી જવાબદારીની અપેક્ષા હતી પણ એ અપેક્ષા પુરી ના થઈ શકી.  



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.