પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પર રિક્ષા ચાલકે જાહેરમાં હુમલો કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:39:05



પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાને આજે સવારે રિક્ષા ચાલકે લાકડીથી માર માર્યા હતા. અલ્પેશ કથીરિયા પોતાના કામથી કાપોદ્રા વિસ્તારથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રિક્ષા ચાલકે માર માર્યો હતો. 


શા માટે રિક્ષા ચાલકે અલ્પેશને માર્યો?

અલ્પેશ કથીરિયા સગાની ખબર પૂછવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા તે દરમિયાન એક રિક્ષાવાળો બેફામ રિક્ષા ચલાવી રહ્યો હતો. અલ્પેશ કથીરિયાએ તેને સરખી રિક્ષા ચલાવવા માટે ઠપકો આપ્યો હતો. ગરમ મિજાજ રિક્ષા ચાલકને ખોટું લાગી જતાં તેણે અલ્પેશ કથીરિયાને લાકડાના ફટકા માર્યા હતા. ત્યારબાદ અલ્પેશ કથીરિયાએ કાપોદ્રા પોલીસ મથકમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.  


અલ્પેશ કથીરિયા ઈજાગ્રસ્ત થયા 

રિક્ષા ચાલકે બાઈક પર જઈ રહેલા અલ્પેશ કથીરિયાને લાકડાના ફટકા મારવાથી અલ્પેશને હાથના ભાગમાં ઈજા થઈ હતી. હાથમાં ઈજા થતાં અલ્પેશ કથીરિયાને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.  



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.