Loksabha Electionની સાથે Gujaratની આ બેઠકો માટે થશે પેટા ચૂંટણીની તારીખોનું એલાન, પેટા ચૂંટણી માટે પણ AAP- Congress કરી શકે છે ગઠબંધન!


  • Published By :
  • Published Date : 2024-03-16 12:57:13

લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થવાની છે. લોકસભા ચૂંટણીને લઈ તારીખોનું એલાન થવાનું છે પરંતુ તે સિવાય ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા સીટો માટેની તારીખોનું એલાન પણ આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ગુજરાતમાં 6 વિધાનસભા બેઠક ખાલી પડી છે, ત્યાંના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને અનેક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે. જે 6 વિધાનસભા માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવશે તે છે ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર. આ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે અને તે તારીખની જાહેરાત આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી શકે છે. 


6 ધારાસભ્યો હજી સુધી આપી ચૂક્યા છે પદ પરથી રાજીનામું 

2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી..તે ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી. કોંગ્રેસ, અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા પરંતુ આમાંથી 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જતા રહ્યા છે. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. તો વિજાપુરના કોંગ્રેસના સી.જે.ચાવડાએ  ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. 



આ બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી 

તે ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અને પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું હતું. પદ ઉપરથી રાજીનામું આપી પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. આ બેઠકો માટે પેટાચૂંટણી થશે. એવી માહિતી સામે આવી છે કે ધારાસભ્ય પદને છોડનાર પૂર્વ ધારાસભ્યોને ભાજપ ટિકીટ આપી શકે છે. ઉમેદવાર તરીકે તેમને ઘોષિત કરી શકે છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપ ટિકીટ આપી શકે છે. 



પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ અને આપ વચ્ચે થઈ શકે છે ગઠબંધન 

તો બીજી તરફ એવી માહિતી સામે આવી છે કે પેટાચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. આજે ઈસુદાન ગઢવી તેમજ શક્તિસિંહ ગોહિલ વચ્ચે બેઠક મળવાની છે તેવી માહિતી સામે આવી છે. અને એવું લાગી રહ્યું છે કે બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવે કે પેટાચૂંટણી પણ આપ અને કોંગ્રેસ ભેગા મળીને લડશે. લોકસભા ચૂંટણી માટે તો કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ત્યારે જોવું રહ્યું કે પેટાચૂંટણી માટે પણ આ બંને પાર્ટી ગઠબંધન કરશે કે નહીં?   



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.