Loksabhaની સાથે સાથે Gujaratમાં યોજાઈ શકે છે પેટાચૂંટણી, એક નહીં પરંતુ ત્રણ ધારાસભ્યો આપી શકે છે રાજીનામું, આવી અટકળો તેજ બનતા ગરમાયું રાજકારણ!


  • Published By :
  • Published Date : 2024-01-12 10:11:40

થોડા મહિનાઓ બાદ લોકસભાની ચૂંટણી આવી છે, ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એક બાદ એક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ચૂંટણી આવે તે પહેલા જોડ-તોડની, પક્ષપલ્ટાની રાજનીતિ પણ શરૂ થઇ છે. રાજ્યમાં એક પછી એક વિપક્ષમાં ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. વધુ બેથી ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. લોકસભાની સાથે સાથે ગુજરાતની જનતાને પેટા - ચૂંટણી માટે પણ તૈયાર રહેવું પડશે. 

ગુજરાતની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થશે, તંત્ર તૈયાર | gujarat election  will be announced anytime now


પાંચ બેઠકો માટે યોજાઈ શકે છે પેટા ચૂંટણી 

ગુજરાતની કઈ સીટો પર પેટાચૂંટણી થઇ શકે છે તેની વાત કરીયે તો રાજ્યમાં જે પ્રકારે ધારાસભ્યો રાજીનામા આપ્યા છે, ધારાસભ્યોના રાજીનામાની વાતો થઈ રહી છે તે જોતા લોકસભાની ચૂંટણીની સાથે-સાથે ઓછામાં ઓછી 5 સીટ પર પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. ખંભાત, વિસાવદર, વાઘોડિયા અને હવે બાયડ સીટ પર પેટા ચૂંટણી  યોજાવાની શક્યતા છે. ખંભાત સીટ ચિરાગ પટેલ, વિસાવદરની બેઠક પરથી ભૂપત ભાયાણી રાજીનામું આપી ચુક્યા છે, જ્યારે હવે વાઘોડિયા સીટ પરથી ધર્મેન્દ્ર સિંહ તથા બાયડ વિધાનસભા સીટ પરથી ધવલ સિંહ ઝાલાના રાજીનામાની ચર્ચાના કારણે આ બંને સીટ પર પણ પેટા ચૂંટણીના એઁધાણ વર્તાઈ રહ્યા છે.

વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મામલે મહત્વનો ખુલાસો, શપથવિધિમાં નહીં રહે હાજર,  કારણ પણ જણાવ્યું | Explanation of Independent MLA from Vadodara to Waghodia

વાઘોડિયાના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું 

અપક્ષના ધારાસભ્યોમાંથી એક વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવા સમાચાર આવ્યા હતા. હવે અન્ય એક અપક્ષ ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી શક્યતા છે. અરવલ્લી જિલ્લાની બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ રાજીનામુ આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ધવલસિંહ ઝાલા રાજીનામું આપશે તો બાયડ સીટ પર પેટા ચૂંટણીના એંધાણ જોવા મળી રહ્યા છે. ધવલસિંહ ઝાલા ભાજપમાં ઘરવાપસી કરશે અને ફરી ચૂંટણી લડશે.


બાયડના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું 

મળતી જાણકારી મુજબ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામાનું મન બનાવી લીધું છે. તેઓ બાયડના તેમના કાર્યકરો સાથે વિચાર-વિમર્સ બાદ આ મુદ્દે નિર્ણય કરશે. ધવલસિંહ ઝાલા ફરી એક વખત કેસરિયો ખેસ ધારણ કરી ભાજપની ટિકિટ પર ફરી બાયડની સીટ પરથી ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ ટિકિટ નહોંતી આપી તેથી તેઓ અપક્ષ ઉમેદવારી કરીને પણ તેઓ બાયડ સીટ પર ચૂંટણી જીતીને વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં.  


માવજી દેસાઈ આપી શકે છે પદ ઉપરથી રાજીનામું 

તો બીજી તરફ બનાસકાંઠાની ધાનેરા સીટ પરથી અપક્ષમાંથી જીતેલા માવજી દેસાઈ પણ રાજીનામુ આપશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જો માવજી દેસાઈ રાજીનામુ આપે તો ધાનેરામાં પેટ ચૂંટણી તેઓ ભાજપમાંથી લડશે તેવી વાતો પણ થઇ રહી છે. 

  


લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં આવી રહ્યો છે ભૂકંપ

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે સમયે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી રહ્યો છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા હતા ત્યારે હવે અપક્ષ ઉભેલા ધારાસભ્યોની વારી છે. કોંગ્રેસના ચિરાગ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું ત્યારે વધુ ત્રણ જેટલા ધારાસભ્યો પણ જવું જવું કરી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં આ જોડ-તોડની રાજનીતિ ક્યાં જઈને અટકે છે. આ વાંચ્યા પછી તમારા મનમાં શું વિચાર આવ્યો તે અમને કમેન્ટમાં જણાવ્યો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!