અલ્હાબાદ હાઈકોર્ટે નગરપાલિકા ચૂંટણીમાં અનામત રદ્દ કરી


  • Published By :
  • Published Date : 2022-12-27 17:28:42

ઉત્તરપ્રદેશમાં યોજાનારી નગરપાલિકા ચૂંટણી પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે સરકારને ઝટકો આપ્યો છે. ઓબીસી આરક્ષણને રદ્દ કરતા ચૂંટણી તરત યોજવા આદેશ આપ્યો છે. કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી દલીલોને ખારીજ કરી હતી. અને આદેશ કર્યો છે કે ઓબીસી અનામત વગર ચૂંટણી યોજવામાં આવે.

 


સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી બતાવી યોગી આદિત્યનાથે 

અલ્હાબાદ હાઈકોર્ટે સરકારની દલીલને ન માની ફેસલો આપ્યો હતો કે ઓબીસી આરક્ષણ વગર આ વખતની ચૂંટણી થવાની છે. જજ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને સૌરભ લવાનિયાની બેચે આ આદેશ આપ્યો છે. આ નિર્ણયને લઈ ઉત્તરપ્રદેશ સરકાર સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્ય સરકાર હાઈકોર્ટના નિર્ણય પર વિચાર કરવામાં આવશે. 



અખિલેશ યાદવ, માયાવતીએ આપી પ્રતિક્રિયા 

હાઈકોર્ટના નિર્ણય બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કર્યું હતું. અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આજે આરક્ષણ વિરોધી બીજેપી ચૂંટણીમાં ઓબીસી આરક્ષણના વિષયને લઈ સહાનુભૂતિ દેખાડી રહી છે. ઉપરાંત માયાવતીએ પણ આ વાતને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.